જ્યારે આંખમાંથી વગર કારણે આંસુ પડે,
ત્યારે સમજવું આપણી યાદમાં કોઈ રડે છે.
જ્યારે ઓચિંતાનું દિલમા અણી જેવું ભોંકાય
ત્યારે સમજવું આપણી યાદમાં કોઈ તડપે છે.
જ્યારે વગર કારણે ચહેરા પર સ્મિત હોય,
ત્યારે સમજવું આપણી યાદમાં કોઈ મલકે છે.
જ્યારે દૂર દૂર ખૂબ દૂર રહીને પણ પાસે જીવાય ને,
ત્યારે સમજવું આપણી યાદમાં કોઈ જીવે છે.
- કુંજદીપ