"યોગ્ય નિર્ણય"
હરી અને આશા બંને ભિન્ન પ્રકૃતિના વ્યક્તિત્વ ધરાવતા હતા . છતાં પ્રથમ મુલાકાત મા જ એકબીજાને પસંદ કરવા લાગે છે . ધીરે ધીરે આ પસંદગી પ્રેમ માં પરિણમે છે.
બંને એકબીજાને આજીવન સાથે રહેવા ના વચનો આપે છે . પરંતુ નસીબ કંઈક અલગ જ દિશા તરફ દોરી જાય છે બંને ને.
બંને જ્યાં સુધી પ્રેમ સંબંધ ધરાવતા હતા ત્યારે એકબીજાને મળવા માટે આતુર રહેતા . એકબીજાને ગમતી વસ્તુઓ ભેટ આપવી, એકબીજા સાથે વધુ માં વધુ સમય પસાર કરવા માટે વિચારતા , આયોજન કરતાં .
વળી એક જ જાતિ ના હોવાથી બંને ના પરિવાર પણ એ સંબંધ થી ખૂશ હતાં . અને આપસી સમંતિ થી બંને ના લગ્ન થાય છે . થોડા દિવસો ખૂશી થી પસાર થાય છે . પણ હવે આશા ને અહેસાસ થાય છે કે તે જે વ્યક્તિ સાથે પ્રેમ કરતી અને જેની સાથે તેના લગ્ન થયાં છે તે વ્યક્તિ તો એક જ છે પણ તેના વ્યવહાર ભિન્ન છે .
આશા ખૂબ જ ભાંગી જાય છે . કે આ વ્યક્તિ સાથે આખી જિંદગી પસાર કેમ થાય? જે વ્યક્તિ ને તે પ્રેમ કરતી, જેની સાથે આખી જિંદગી જીવવા માંગતી હતી , એ એક ખિન્ન મનોવિકૃત માણસ છે .
હવે તે પોતાના સ્વપ્નની દુનિયામાં થી વાસ્તવિકતા ની દુનિયામાં આવી જાય છે અને નક્કી કરે છે કે પોતે હરી થી અલગ થઈ જશે . હવે હિંમત કરી આશા "યોગ્ય નિર્ણય "લે છે, હરી થી છુટાછેડા લેવાનો .
( મનોવિકૃતી ના ઘણા પ્રકાર છે , ખિન્ન મનોવિક઼ૃતી એમાં નો જ એક પ્રકાર છે . )
🙏 Thank you all readers🙏