અમૃત (ભાગ ૨)આગળ
અમૃત પણ ધીરે ધીરે મોટો થતો ગયો.બા જેવો સાલશ હસમુખો ને શરારતી .શાળામાં પણ નંબર વન હતો.એક દિવસ તેને શાળામાંથી જ હારીજ ,પાટણ ને મોઢેરા લઈ જવાના હતા.હવે તે સમજુ થઈ ગયો હતો. બાને જરા સંકોચ હતો કે તે હારીજ જશેને તેને ત્યા તેના બાપાને મળવાનું મન થશે તો?આખરે તે દિવસ પણ આવ્યો તે હારીજ પહોંચ્યોને તેને તો તેના પાદરથી જ જાણે લાગ્યું કે પોતે અહીં કેટલીવાર આવી ગયો છે!
તેણે તપાસ કરી કે તેના બાપા શું કરે છે?તે સદમયે જ તેને જે સમાચાર મળ્યા કે તેના પિતાએ તો કોઈ મજૂરણને છેડી હતી તેથી તેના પતિએ તેમને મારી નાંખ્યા હતા.
કોઈ ધણી નહિ તેથી તેમની લાશને પણ પોલીસે બાળી દીધી હતી.પણ તેમના મકાનમાં કોઈ સ્ત્રી રહેતી હતી ને તે તેના પિતાને જ પતિ કહેતી હતી.કાંઈ જ ન સમજાતા તે મુઝવણમાં પડ્યો કે બા પૂછશે તો શું કહેશે???
અમૃત હવે થોડો વધુ ચુપ રહેવા લાગ્યો હતો.તેની બા કપાળે મોટો ચાંદલો કરતી ત્યારે તેને કહેવાનું મન થતું કે ,”બા તમે વિધવા થયા છો.” પણ તે ક્યારેય ન બોલી સક્યો.પણ આશ્ચર્ય કે બાએ તેને ક્યારેય પૂછ્યું જ નહિ કે હારીજમાં બધા કેમ છે? ધીરે ધીરે બા વધુ ને વધુ બેનો ને રાખી સાડી,કપડાં,બ્લાઉઝ ને પુરુષોના ઝભ્ભા પર ભરત કામ કરવા ને કરાવા લાગી હતી.તેઓ હવે એક ઓરડાના મકાનમાંથી નાના સરસ બંગલા જેવા મકાનમાં રહેવા ગયા હતા.બા હવે રસોઈ કરવા નહિ રસોઈ શીખવવાના વર્ગ ચલાવતી થઈ હતી.સાડી ના ભરતકામ માટે નવી નવી સ્ત્રીઓ ને બાળકીને શીખવાડતી થઈ હતી.
પોતાની આવડતથી તે સરુબેન ને માસીમાના નામથી પ્રખ્યાતી પામી હતી.અમૃત અમદાવાદ કોલેજમાં ભણવા ગયો ત્યારથી તે એકલી પડી ગઈ હતી.એક દિવસ તેણે વરસો પછી સવારે ઉઠી હારીજ ની બસ પકડી.અમૃતને જાણ ન થાય તેની કાળજી પણ લીધી.પોતાના ઘર તરફ પગ માંડ્યા ત્યાં જઈ જુએ છે તો ઘરમાં તેનાથી નાની ઉંમરની સ્ત્રી જોવા મળી.તેણે પૂછ્યું તો પોતાના પતિના કરતૂત જાણવા મળ્યા .પોતે ગયા પછી પતિએ બીજા લગ્ન પણ કર્યા એ પણ જાણ્યું.હવે તે સ્ત્રી નું જીવન કેવી રીતે વિતે છે...?તો તે જાણવા આજુબાજુના લોકોને મળી.
જે જાણ્યું એ અધુરૂ હતું .! પણ તે સાંજ પહેલા પાછી ફરી.ઘરમાં પ્રવેશતા જ અમૃત મળ્યો ને એક પ્રશ્ન તેની આંખમાં જોયો ,”બા તુ ક્યા ગઈ હતી?”આજે પણ તે ન પૂછી સક્યો.પણ આજે બા પાછી પેલી ડાયરીમાં લખવા બેઠી,એ જોય તેને યાદ આવ્યું આજે તો તે ખુશ નથી તો પછી એણે ડાયરીમાં શું લખ્યું ???
(ક્રમશ)
જયશ્રી પટેલ