કૂદવું
કેટલા પ્રકારનું ...
હરખના માર્યા
જાણ્યા છતાં
પ્રેમમાં આંધળા થઈ
પોતે જ ખાડો ખોદી
કોઈના દોરાવ્યા
કોઈને ધક્કે
ગાડરિયા પ્રવાહમાં ...
મનની ચંચલતા થી
ક્યારેય પરિણામની
અપેક્ષાઓ વિચાર્યા વગર
ભરેલા આ ખાડામાં ...
કયો માનવી નથી કૂદ્યો..!
કારણ કૂદવું એને ગમે છે
પણ સ્વીકારવું નથી ગમતું
કારણ ખેલદિલીનો અભાવ છે
જો ખેલદિલી થી કૂદવું ગમશે
તો માનવી જરૂર ભવના ફેરા જીતશે..!
જયશ્રી પટેલ
૫/૧૧/૧૯