વિસ્મૃતિ ?"... " વિસ્મૃતિ "...... માઈક્રો ફિક્શન વાર્તા.... " બેટા જગદીશ, તું ઓફિસ જાય છે?" " હા બાપુજી ".. સીત્તેર વર્ષ ના વૃદ્ધ જગન્નાથ ખાંસી ખાતા ખાતા પોતાના પુત્ર જગદીશ ને કહે છે. " બેટા,બાજુ ના ઓરડા માં તારી બા સુતા સુતા કણસે છે.તેના માટે પાણી મુકી ને જજે.અને તારી બા નાં આશિર્વાદ લેતો જજે.". " હા બાપુજી" એમ બોલી ને પુત્ર જગદીશ બાજુ ના ઓરડા માં ગયો.ઓરડા માં આવેલ મંદિર માં ભગવાન ના દર્શન કરી ને પોતાની " બા " ના ફોટા ને ફુલ ચઢાવી ને પગે લાગ્યો.અને મનોમન " જય શ્રી સ્વામિનારાયણ " બોલી ને બાપુજી પાસે આવ્યો. " બેટા તારી બા નાં આશિર્વાદ લીધા? આ તારી બા આખી રાત ખાંસી ખાય છે.અને મારી ઉંઘ બગડે છે.જો બેટા ખાંસી ની દવા ખલાસ થઈ ગયી છે તો લેતો આવજે." ખાંસી ખાતા ખાતા જગન્નાથ બોલ્યા. " હા બાપુજી , ચોક્કસ ખાંસી ની દવા સાંજે લેતો આવીશ.જય શ્રી સ્વામિનારાયણ " એમ બોલી ને જગદીશ પોતાના બાપુજી ને પગે લાગી ને દરરોજ ની જેમ ઓફિસ જવા નિકળ્યો..........@ કૌશિક દવે....