હે શિવ
મને તું
ત્રીજું લોચન.દે
બાળવા માટે
પ્રશ્ન એઊઠે છે
કે મારે શું બાળવું છે?
કે પછી હું શુઃ બાળીશ?
આ અંબાર કેમ બળાય?
વાત સાચીસછે
તો પછી હવે
આ સમયમાં લગરીક સત્ય રહયું છે
એને જ બાળી દઇએ તો?
પછી બધેય રહે સમતા
ન રહે કયાંય.વિષમતા!
માણસ
માણસ ધારે તે કરી શકે
ધારે ત્યારે કરી શકે
મહાસાગર માપી શકે
પૃથ્વીના પેટાળ ખોદી શકે
ગગન વિહાર કરી શકે
કુદરતનેય કયારેક. વામણી કરી શકે
કિંતુ તે દોડમાં
પ્રાપ્તિની હોડમાં
યંત્રવત બની ગયો છે
ધબકાર ખરો પણ....ખોખલો
તે સમીકરણો રચી શકે છે
તે સમીકરણ ઉકેલી શકે છે
પણ મનના કોયડામાં?
આર્યભટ્ટની શૂન્ય સાથે રાખે છે
એટલે અંતરમાં અંતર
એકલતાનુઃ જંતર વાગે છે
જન્મ,શિશુ,યૌવન,જરા નો ક્રમ
ઉલટાવી કે પલટાવી શકતો નથી
ત્યાં પાછો પડે છે
નથી પ્રેમ ખરીદી શકાતો
નથી જીવન આપી શકતો
નથી લાગણી વાવી શકતો
ત્યાં.એ પાછો પડે છે
બાકી તો માણસ બધું જ કરે છે.