પ્રકૃતિ અને માણસ
લોકો ભલે તપતા સૂરજ ને જોવા ન જતા હોય પણ નમતા સૂરજ ને જોવા તો જાય જ. આપણી પ્રકૃતિ જ આપણા માનવીય સ્વભાવને દર્શાવે છે કે ગુસ્સા અને ઘમંડ માં રહેનાર થી બધા દૂર જ રહે જ્યારે નમતા અને , શાંત માણસ ને બધા જ માન આપે.
આ થઈ પોઝિટિવ સાઈડ પરંતુ આ જ સૂરજ ના તાપ ને બીજી રીતે દર્શાવવો હોય તો એ સફળતા ન ઉદાહરણમાં પણ લઈ શકાય . સૂરજ ના તાપ એની ઊંચાઈ ભલે કોઈ સહન ન કરી શકે પણ એની નિષ્ફળતા એટલે કે એની ઠંડકની મજા માણવા લોકો ની ભીડ આવશે જ .એવી જ રીતે લોકો ભલે આપણી સફળતા માટે શાબાશી આપવા ન આવે પણ નિષ્ફળતાના મેણા મારવા તો આવશે જ.