કોઈ ને અંગત તો બનાવી દેવાતું હોય છે,
પરંતુ એ અંગતતા ને ટકાવી રાખવા માટે
એ વ્યકિત ને અને એની લાગણી ઓ ને
જતન પૂર્વક સાચવવીપડતીહોયછેઘણીવાર
આપણે આપણા અંગત ને જ સૌથી વધારે
“Take it for granted” કરતા હોઈએ છીએ
એ વ્યકિત અંગત હોય છે એટલે એ વ્યકિત ને
તમારા વર્તન થી દુ:ખ ન થવું જોઈએ એવું તમે
વિચારતા હશો તો તમે ખોટું વિચારો છો એ
વ્યકિત અંગત છે અને એટલે જ તમારા વર્તન
દ્વારા દુ:ખ થયું હોવા છતાં પણ તમને એ વારંવાર
માફ કરી દેતી હોય છે. પણ એ યાદ રાખવું જરુરી
હોય છે, કે દરેક વ્યકિત ની અવગણના કે દિલ દુભાય એવી વાતો ને સહન કરવા ની એક લિમિટ
હોય છે. એકવાર એ વ્યકિત લિમિટ ક્રોસ કરી જશે
તો એ વ્યકિત ને પાછી લાવવી મુશ્કેલ બની રહેશે,
અને આવશે તો પણ એક બદલાયેલી વ્યકિત બની
ને....સમય રહ્યે એ સંબંધ ને સાચવી લો કારણ કે
મન, મોતી, ને કાચ એકવાર તૂટે પછી સંધાતા નથી,
અને સંધાય તો પણ એમાં “તડ” તો રહી જ જતી હોય છે....