ગુજરાતી ભજન:" રાખનાં રમકડાં"
રાખનાં રમકડાં મારા રામે રમતાં
રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં …
બોલે ડોલે રોજ રમકડાં,
નિત નિત રમત્યું માંડે
આ મારું આ તારું કહીને
એકબીજાને ભાંડે રે,
રાખનાં રમકડાં, રમકડાં …
એઇ કાચી માટીને કાયામાંથી
માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં
ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
રાખનાં રમકડાં, રમકડાં …
તંત અનંતનો તંત ન તૂટ્યો
ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો
આવી એવી ગઇ,
રાખનાં રમકડાં, રમકડાં …
સારાંશ:
આ ભજન માનવદેહની નશ્વરતા
વર્ણવે છે.પ્રભુ રામે મૃત્યુલોક ની માટીમાં થી માનવી રુપી રમકડાં ઘડ્યાં છે ;જે છેવટે પંચમહાભૂતમાં વિલીન થઇ જાય છે.માનવી તારું મારું કહી સ્વાર્થવૃત્તિ ને કારણે અરસપરસ લડ્યા ઝઘડ્યા કરે છે. જીવનયાત્રામાં પુરુષ અને સ્ત્રી વચ્ચે માયા બંધાઈ જાય છે.સંસાર માંડે છે.અચાનક આંધી ફૂંકાય છે. રમત અધુરી રહી જાય છે.જીવનદીપ બુઝાઈ જાય છે.માનવદેહ રાખ બની જાય છે.
સારાંશ અને પ્રસ્તુત કર્તા:ડો.ભૈરવસિંહ રાઓલ