મા અને બાપના ગુણ ગાન કરવા બધાને ગમે,મારા બાળકો પણ મારા કરે છે, પત્ની અને બાળકો જીવ રેડે છે,પણ હું મા અને બાપ એટલે માવતર મારી કુળદેવી મારી માઁ વારાહીનેજ ગણું છું, આ જીવન તથા જે કંઈ આપ્યું તે તેનીજ દેણ છે,
બાકી આ જગતમાં કૈકૈઈ જેવી માં અને લોભી સ્વારથી પીતા જેને મળે, અને સંતાન વચ્ચે ઓતરા કરે તેની શું હાલત થાય?
અપવાદો આવા પણ હોય છે, જેથી પીડીત આવા લોકો જન્મદાતા મા બાપ નું નામ સાંભળી દુખી થઈ જતા હોય છે,ગમે તેવા મા બાપ એમના પર ગુસ્સો ન આવે પણ દુખ થી રદય તો જરુર ભરાય..કોઈક વાર ગુસ્સો પણ આવે.
બે શબ્દો ફરી રીપીટ કરુ છું .
જો આપશમા સ્નેહ હોય તો પારકા પણ પોતાના બની જાય , પણ જયા હેત કે સ્નેહ ની જગ્યાએ સ્વાર્થ અને લાલચ હોય પોતાનાય શું કામના..
બાકી જ્યારે ઉપર આભ અને નીચે માત્ર ધરા હતી, એકદમ દુબળી દશા હતી , તે સમયે ફક્તમાઁ વારાહી મારી સાથે હતી.
અને આજે પણ છે સ્વાસ છુટે તો ભલે છુટે પણ માઁ નું નામ હૈયે થી કદી નવ છુટે
એ મારી મૈયા ના પ્રતાપે લાલચ લોભ મોહ ક્રોધ ભય સદેવ દુર રહે છે, અને તેની કૃપાથી દયા કરુણા ક્ષમા ધૈર્ય શાંતી અને પ્રેમ આ રદયમાં માઁ ની સાથે બીરાજ માન થયા છે, એ બધો માઁનો પ્રતાપ છે...
બાકી હું પણ તમારા જેવો શીધો સાદો માણસ છું..જીવી લઉ છું ધડી બે ધડી મનુષ્ય જીવનને તમારા બધામાં ભળી.
પણ ખરુ કહું આશું ફક્ત ત્યારે આવે છે જ્યારે આ પાપી જીવ ને માઁ તેના સાનીધ્યમાં સેવાનો લાભ આપી મુજ પાપી ના પાપ ધોવે છે..એ માના મીલનની ધડીએ અશ્રું ની ધારા વહે છે.
ના જઉ માઁ ના દેવળે તો અપરાધ ભાવ જન્મે છે...
અને હા માઁ ગબ્બર વાળી આરા શુરી તો શાક્ષાત તડપ જગાવી મનમાં મારા મને દર્શન કરવા દોડાવે છે...અને જવુંજ પડે છે..નહીતર મન વ્યાકુળ અને અર્ધ પાગલ અવ્સ્થા થઈજાય છે..
આપ જે પણ ગણો, ગાડો ધેલો, મુર્ખ પણ ,મારી આ હકીકત છે.ગર્વ થી કહું છું બસ આજ છું હું કાલે રહું ના રહું
🚩🕉🔱 ૐ એમ હીંમ રીંમ કલીંમ વારાહી વીચ્છેય નમઃ🔱🕉🚩💐💐💐🙏🙏