Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ધન, સ્વાસ્થ્ય, સુવિધા, સાધન હોવાની સાથે જ સફળતા કે વિપરિત પરિસ્થિતિઓમાંથી બહાર નિકળવા માટે એક બીજીવાત સૌથી મહત્વપૂર્ણ હોય છે, એ છે, ધીરજ, ઉત્સાહ, કે ઉમંગ. પણ જીવનમાં ઉતાર-ચઢાવ જીવનનો જ એક ભાગ છે. એટલે અચાનક આવતા દુઃખ કે સખત મહેનત કર્યા પછી મળતી અસફળતા માણસની ધીરજને નબળી બનાવી દે છે. એવી સ્થિતિમાંથી બેઠા થવા દરેકને નવી શરૂઆત કરવા માટે કેટલાક એવા ઉપાયની કામના કરવી જોઈએ જેનાથી ફરીથી નવી ઊર્જાનો સંચાર થાય.

એવી જ મુશ્કેલ સ્થિતિઓ સામે લડવા માટે દેવ ઉપાસનાનું મહત્વ બતાવવામાં આવ્યું છે. આ ક્રમમાં ઉત્સાહ, ઊર્જા અને ઉમંગ મેળવવા અને મુશ્કેલીઓમાંથી બહાર આવવા માટે શ્રી હનુમાનજીની ભક્તિ અસરકારક માનવામાં આવે છે. હનુમાજીની પ્રસન્નતા માટે ચાલીસા, સુંદરકાંડ, હનુમાન સ્ત્રોત વગેરેનો પાઠ કરવામાં આવે છે.

અહીં શ્રીહનુમાન સ્મરણના એવા જ ઉપાયોમાં નાના, બોલવામાં સરળ અગ્યિયાર શ્રી હનુમાન મંત્રોને બતાવ્યા છે. જેને શનિવારે, મંગળવારે કે નિયમિતરીતે ધ્યાન કરવાથી ધાર્મિક રીતે તમારા કષ્ટોને દૂર કરી તમને નિરોગી અને ઊર્જાવાન બનાવી રાખે છે-

શ્રી હનુમાનને ગંધ, ફૂલ, સિંદૂર, નારિયળ, ગોળ-ચણા, ધૂપ-દીપથી પૂજા કરી આ મંત્રોનું યથાશક્તિ પ્રમાણે જપ કરો.

ॐहनुमते नमः

ॐ वायु पुत्राय नमः

ॐ रुद्राय नमः

ॐ अजराय नमः

ॐ अमृत्यवे नमः

ॐ वीरवीराय नमः

ॐ वीराय नमः

ॐ निधिपतये नमः

ॐ वरदाय नमः

ॐ निरामयाय नमः

ॐ आरोग्यकर्त्रे नमः

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111428028
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now