ધાર્મિક આસ્થાછે કે રામદૂત શ્રી હનુમાનનું સ્મરણ કરવાથી જ બધા દુઃખ દૂર થાય છે. આ આસ્થામાં બળ આપતી ગૌસ્વામી તુલસીદાસ દ્વારા લખેલી હનુમાન ભક્તિની સૌથી લોકપ્રિય સ્તુતિ શ્રી હનુમાન ચાલીસાની આ ચોપાઈ –
संकट कटै मिटै सब पीरा।
जो सुमिरै हनुमत बलबीरा।।
શ્રી હનુમાનજીના સંકટમોચક રૂપની મહિમા પ્રગટ કરે છે. હનુમાનજી રૂદ્ર અવતાર છે. રૂદ્ર કે શિવ પણ દુઃખહર્તા અને કલ્યાણકારી માનવામાં આવે છે. આ ચોપાઈમાં પણ સંકેત સ્પષ્ટ છે કે શિવની જેમ જ શ્રી હનુમાન જગતના રક્ષક તથા અક્ષય સુખ આપનારા છે.
અક્ષય તૃતીયાનો પર્વ પણ અક્ષય સુખ-સમૃદ્ધિ પામવાની શુભ ઘડી માનવામાં આવે છે. આ વખતે મંગળવારની સાથે સંયોગ બને છે, જે હનુમાન ઉપાસનાનો વિશ્ષ દ્વસ છે. આવી તક પર જો આપ પણ શરીર, ધન, પરિવાર, કાર્યક્ષેત્ર, વ્યાપારથી જોડાયેલ કોઈ પણ સંકટ કે મુશ્કેલી સહન કરો છો, તો આ સમયે અચૂક મંત્રોથી મહાવીર હનુમાનની ઉપાસના મોટી સંકટમોચક હંમેશા નુક્શાન અને હાનિથી બચાવવનાર સિદ્ધ થશે. જાણો શ્રી હનુમાન માટે સરળ પણ અચૂક મંત્ર –
- અખાત્રીજના દિવસે સવારે ઝડપથી ઉઠીને સ્નાન કરી પવિત્ર થયા પછી ઘર કે મંદિરમાં શ્રી હનુમાનની સામાન્ય પૂજા કરો. જેમાં પવનપુત્રને સિંદૂર, લાલચંદન, ચોખા, ફૂલ, લાલવસ્ત્ર અર્પણ કરો. ગોળ-ચણાનો ભોગ લગાવો અને શ્રી હનુમાનના આ સરળ મંત્રોનો યથાશક્તિ જપ કરો. –
- ॐ चिरंजीविने नम:
- ॐ सर्वदु:खहराय नम:
- ॐ सर्वबन्धविमोक्त्रे नम:
- ॐ महाकायाय नम:
- ॐ महाबल पराक्रमाय नम:
- પૂજા અને મંત્ર જપ પછી શ્રી હનુમાનજીની આરતી, ધૂપ, દીપ કપૂરથી કરો.
- અંતમાં ક્ષમાપ્રાર્થના કરી કષ્ટ-પીડાઓથી રક્ષા કરવાની કામના કરો.