આખરે કેમ અગરબત્તીનો ઉપયોગ પૂજા માટે કરવામાં આવે છે?
ભારત એક ધાર્મિક સભ્યતાનો દેશ છે જ્યાં પ્રાચીન કાળથી ધાર્મિક કર્મકાણ્ડોને ખૂબ મહત્વ આપવામાં આવે છે અને આજે પણ ઘણા એવા લોકો છે જે એવા રિત-રિવાજોને માને છે અને ભગવાનમાં આસ્થા રાખે છે. હિન્દુ ધર્મમાં જો પૂજા રીતિ-રિવાજની સાથે કરવામાં આવે તો તેમા પૂજાની સામગ્રી હોવી અતિઆવશ્યક હોય છે અને પૂદા સામગ્રીમાં અગરબત્તીનું મહત્વ વધારે હોય છે.
– પૂજાના સમયે અગરબત્તી પ્રગટાવવી વ્યક્તિની આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. આ એજ માધ્યમ છે જે આત્માનું પરમાત્માથી જોડવાની ભૂમિકા નીભાવે છે. અગરબત્તી પ્રગટાવવાના અનેક ફાયદા છે આવો જાણીએ પૂજામાં તેનો ઉપયોગ કેમ કરવામાં આવે છે અને તેને પ્રગટાવવાથી કયા લાભ થાય છે.
– અગરબત્તીને ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને દરેક શુભ કાર્યોમાં પવિત્ર વસ્તુના ઉપયોગથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે આજ કારણ છે કે અગરબત્તીનો ઉપયોગ પૂજામાં કરવામાં આવે છે.
– જ્યારે આપણે અગરબત્તીને પ્રગટાવીએ છીએ તો તેનાથી નીકળનારી સુગંધથી આપણા મનમાં શાંતિનો અનુભવ થાય છે અને વ્યક્તિ પોતાને તનાવમુક્ત હોય તેવો અનુભવ કરે છે.
– તમે જોયુ હશે કે, જ્યારે પણ તમે કોઇ ધાર્મિક સમારોહમાં જાવ છો તો ત્યાની સુગંધ તમારો તનાવ દૂર કરી શકે છે અને તમારા મનમાં શાંતિનો અનુભૂતિ કરાવે છે તેનું કારણ જ્યાં પ્રગટાવેલી અગરબત્તી હોય છે.
– અગરબત્તીનો ધુમાડો સકારાત્મકતામાં વધારો કરે છે અને નકારાત્મકતાને દૂર કરે છે.
– અગરબત્તીની સુગંધ વ્યક્તિના મનને શાંતિ પ્રદાન કરે છે આજ કારણ છે કે અગરબત્તીનો ઉપયોગ પ્રાકૃતિક ચિકિત્સામાં પણ કરવામાં આવે છે.