આ કારણથી બિલાડીઓને માનવામાં આવે છે અશુભ
વ્યક્તિના જીવનમાં જ્યારે અશુભ થવાનું હોય છે તો તેનો સંકેત પહેલાથી મળી જાય છે. પરંતુ કેટલીક વખત વ્યક્તિ તેના સંકેતને સમજવામાં અસફળ હોય છે અને તે અશુભ ઘટના તેના જીવનમાં થાય છે. આજે અમે તમને એવા જ એક સંકેત અંગે જણાવીશુ જેને જાણીને તમે આવનારી અશુભ ઘટનાને રોકી શકો છો.
તમે જોયું હશે કે તમારા ઘરમાં ક્યારેક-ક્યારેક બિલાડીનું આવવા જવાનું રહે છે આ તો એક સામાન્ય વાત છે પરંતુ કોઇ બિલાડી તમારા ઘરમાં દિનપ્રતિદિન આવે છે તો આ કોઇ સામાન્ય ઘટના નથી. તેની પાછળ ભવિષ્યમાં થનારી અશુભ ઘટના ઘટવાના સંકેત હોય શકે છે.
જો એવું થાય છે તો તમે બિલાડીને ઘરમાં આવવાથી રોકી હશે જેના માટે તમે તમારા ઘરમાં ભગવાન સત્યનારાયણનો પાઠ કે કોઇ હવન અનુષ્ઠાન કરાવી શકો છો. જો આ કોઇ અશુભ ઘટનાનો સંકેત છે તો બિલાડી તમારા ઘરમાં આવશે નહીં.
નારદ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે બિલાડી જ્યાં પણ જાય છે તેના પંજાની ધૂળથી તે સ્થાનની સકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને નકારાત્મક ઉર્જા ત્યાં તેનું સ્થાન લઇ છે જે તમારા જીવનમાં કઇક અશુભ થવાનો સંકેત છે.
કેમ બિલાડીને માને છે અશુભ
કાલી બિલાડીન તુલના કાળી શક્તિઓથી કરવામાં આવી છે તથા તેમનો સંબંધ ખરાબ આત્માઓથી માનવામાં આવ્યો છે. કાળી વિદ્યાના સાધક બિલાડીઓની ઉપસ્થિતિને શુભ માને છે.
જ ઘરમાં રોજ બિલાડી આવે છે તે ઘરના વ્યક્તિ ને કોઇપણ પ્રકારે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થઇ શકે છે કે તે ઘરના મુખ્ય વ્યક્તિને કોઇ ગંભીર બિમારીથી ખતરો હોય શકે છે.