ન રાખો, આ સમયગાળામાં ક્યારેય ન કરવી હનુમાનજીની પૂજા
ચૈત્ર માસની પૂનમના દિવસે હનુમાન જંયતી મનાવવામાં આવે છે. આ વખતે ૦૮ અેપ્રીલે હનુમાન જંયતી છે. એવી માન્યતા છે કે, હનુમાનજી કળયુગમાં પણ જીવે છે. હનુમાનજી પોતાના ભક્તો પર જલ્દી પ્રસન્ન થઈ જાય છે. પરંતુ અમુક એવો સમય હોય છે, જ્યારે હનુમાનજીની પૂજા કરતી વખતે સાવધાની રાખવી પડે છે, નહીં તો પૂજાનું શુભ ફળ પ્રાપ્ત નથી થતું.
હનુમાનજીની પૂજા તે સમય ક્યારેય ન કરવી જોઈએ જ્યારે સૂતક હોય. સૂતક ત્યારે મનાવામાં આવે છે, જ્યારે પરિવારમાં કોઈનું મૃત્યુ થઈ જાય. સૂતકનાં 13 દિવસમાં હનુમાનજીની પૂજા ન કરવી જોઈએ.
જ્યારે પરિવારમાં કોઈ બાળકનો જન્મ થયો હોય તો તેના જન્મનાં 10 દિવસ સુધી હનુમાનજીની સાથે અન્ય દેવી-દેવતાની પૂજા ન કરવી જોઈએ. સ્મશાનયાત્રા માંથી આવ્યા પછી સ્નાન કર્યા વગર હનુમાનજીની પૂજા ન કરવી જોઈએ તેમજ જો તમે આખો દિવસ ઘરની બહાર હોવ તો ઘરે આવ્યા પછી સ્વચ્છ થયા વગર હનુમાનજીની પૂજા કરશો તો પૂજાનું ફળ પ્રાપ્ત નહીં થાય.
હનુમાનજીની પૂજા કરતી વખતે ક્યારે પણ ગંદા અને અશુદ્ધ કપડા ન પહેરીને પૂજા ન કરવી જોઈએ. જો તમે હનુમાનજીની પૂજા કરતા પહેલાં કંઈ ખાધું હોય તો સારી રીતે મોઢું સાફ કરી લેવું.