Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગંગા નદીની વચ્ચે છે દેવી સીતાનાં પગલા, દર વર્ષે અહીં થાય છે ચમત્કાર

રામાયણમાં લખેલું છે કે ભગવાન રામએ પિતાના આદેશનું પાલન કરવા માટે 14 વર્ષનો વનવાસ ભોગવવો પડયો હતો. વનવાસ દરમિયાન ભગવાન રામની સાથે તેમનો નાનો ભાઈ લક્ષ્મણ અને દેવી સીતાના ચરણોથી ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ભારતની ભૂમિ પવિત્ર થઈ ગઈ. દેશના કેટલાંક ભાગોમાં તેમની યાત્રાના પુરાવા પણ મળ્યા છે જેને જોઈએ બધા અચરજ પામી જાય છે.

પથ્થરો પર પ્રાચીન પગલાની નિશાની :

બિહારના મુંગેર જિલ્લામાં ગંગા નદીની વચ્ચે એક પથ્થર પર પ્રાચીન ચરણનાં ચિહ્નો છે. લોકોનું માનવું છે કે આ ચરણના ચિહ્નો દેવી સીતાના છે. એવી કથા છે કે વનવાસ દરમિયાન રામ અહીં મુદગલ ઋૃષિના આશ્રમમાં પધાર્યા હતા. દેવી સીતાએ અહીં માં ગંગાના આર્શિવાદ માંગ્યા હતા કે તેમનો વનવાસ સફળ રહે.

દેવી સીતાએ કર્યુ અહીં છઠનું વ્રત :

વનવાસથી જ્યારે ભગવાન રામ દેવી સીતા અને લક્ષ્મણ સહિત અયોધ્યા પાછા આવ્યા તેના પછી તેમનો રાજ્યઅભિષેક થયો હતો. રાજ્યની સુખ-શાંતિ માટે ભગવાન રામએ રાજસૂર્ય યજ્ઞનું આયોજન કર્યુ હતું પરંતુ વાલ્મીકિ ઋૃષિએ કહ્યું કે, આ યજ્ઞ મુદગલ ઋૃષિ વગર સંપન્ન નહીં થાય. વાલ્મીકિ ઋૃષિની સલાહ પર ભગવાન રામ દેવી સીતાની સાથે ફરીથી મુદગલ ઋૃષિ આશ્રમમાં પધાર્યા હતા. અહીં ભગવાન રામએ મુદ્રગલ ઋૃષિની સાથે હવન કર્યો હતો અને દેવી સીતાને ઋૃષિએ સલાહ આપી હતી તેથી તેમને સૂર્યષષ્ઠી એટલે કે છઠનું વ્રત કર્યું હતું.
દર વર્ષે અહીં થાય છે ચમત્કાર :

આ ઘટનાન પુરાવા તરીકે દેવી સીતાના ચરણોના ચિહ્નો પત્થરો પર અંકિત છે. દર વર્ષે લગભગ 6 મહિના આ ચરણો ગંગાની ધારામાં ડૂબી જાય છે અને જ્યારે ગંગાનું પાણી ઓછું થઈ જાય છે ત્યારે દેવી સીતાના ચરણો દેખાય છે. એવી માન્યતા છે કે અહીં દેવીના ચરણોના ચિહ્નોની પૂજા કરવામાં આવે છે અને છઠનું વ્રત કરવાથી નિસંતાન દપંતિને સંતાનનું સુખ પ્રાપ્ત થાય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111372925
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now