Gujarati Quote in Religious by Kavita Gandhi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નમો જિણાણં જિઅભયાણં.

જ્યાં વસ્તુ કે વ્યક્તિનો , પદાર્થ કે પૈસાનો સંયોગ થયો છે , ત્યાં તેનો વિયોગ થવાનો જ છે , આ સમજ જેને આવી ગઈ , તેને દુઃખી કરવાની તાકાત કોઈની નથી .

જે વ્યક્તિ પોતાના અધિકાર યાદ રાખે છે અને બીજાની ફરજ યાદ રાખે છે તે વ્યક્તિ બાંધેલા સંબંધ જાળવી શકતો નથી .

" મારી આજુબાજુવાળા મારાથી વધુ સુખી થવા જ ન જોઇએ " આ માનસિકતાવાળો માણસ આ દુનિયામાં શ્રીમંત હોવા છતાં સૌથી દુઃખી માણસ હશે .

સ્મશાનની આગ મરેલાને જ બાળે છે , જયારે ઈર્ષ્યાની આગ જીવતાને પણ બાળે છે .

માતાના પગ દબાવે , પણ માતાનું કહેલું માને નહીં તો માતા તે પુત્રથી ખુશ થતા નથી . તેમ ભગવાનની ત્રણ કલાક પૂજા કરે પણ ભગવાનની આજ્ઞાનું પાલન ન કરે તો તેનાથી ભગવાન ખુશ થતા નથી .
નવા સંબંધો નહિ બનાવો ચાલશે , પહેલા બાંધેલ જુના સંબંધોને સંભાળતા શીખી જાઓ .

સામાને નુકસાન થાય તેવું સાચું એ પણ
નિંદા છે . પરમાત્માના વચનો કરુણાભાવમાંથી ઉત્પન્ન થયા છે .

પરમાત્માની કરૂણા એટલી છે કે " ચંડકૌશિક બુઝ " આટલું કહેતા ચંડકૌશિક પરમશાંત બને છે .

ભગવાન લોકોના ના કહેવા છતાં ગયા , કારણ પ્રભુને હિત કરવું છે આ પ્રભુની
કરુણા છે .

એક આત્માને પમાડવાની સાચી કરુણાભાવનાથી ચંડકૌશિક કેવું પામ્યો ❓ચંડકૌશીકે અનસન સ્વીકાર્યું અને
પ્રભુ પંદર દિવસ ઉભા રહ્યા છે .
પ્રભુ જાણે છે કે મારા વચનથી ચંડકૌશીકે અનસન સ્વીકાર્યું છે તો તેની સમાધિ
ટકાવવાની છે . ભગવાનની આ કરૂણા સમજાય તો મોક્ષ પમાય .

સાત નવકાર ગણી મનને આરામ આપો

🔴 ક્રોધ ક્યાંથી આવ્યો એ મહત્વનું નથી , પણ ક્રોધ ક્યાંથી ઉત્પન્ન થયો
એ મહત્વનું છે .
🔴 તમારામાં ક્રોધની યોગ્યતા છે 👉
એ જ નુકશાન કારક છે .
🔴સાધકે સૂક્ષ્મ બુધ્ધિથી પોતાના ઉપયોગને ઓળખવાનો .
🔴 જ્યાં સુખની અનુભૂતિ હોય ત્યાં જ સ્થિરતા આવે 👉 સિધ્ધ ભગવંતો .
🔴 સમ્યક્ત્વ પામ્યા પછી એનું સ્થિરીકરણ અને વિકાસ મનુષ્યભવમાં જ છે .

🙏 શુભ ભાવમાં રહેજો 🙏

Gujarati Religious by Kavita Gandhi : 111349534
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now