The Ancient Granth Veda
આ છે દુનિયાની સૌથી પ્રાચીન પુસ્તકો, તેમાં છુપાયેલા છે મોટા રહસ્યો
વેદ દુનિયાનો સૌથી પ્રાચીન ગ્રંથ છે. આ ચાર વેદોમાં જીવનના ગૂઢ રહસ્યો છુપાયેલા છે. આ મૂળભૂત વિચારોનો ગ્રંથ છે, તેને કારણે તેને બધી સંસ્કૃતિઓમાં વિશેષ કરીને આર્ય સંસ્કૃતિનો પ્રારંભિક ગ્રંથ માનવામાં આવ્યો છે. વેદ જ્ઞાનનો ભંડાર છે, વિજ્ઞાન હોય કે ખગોળશાસ્ત્ર, યજ્ઞ વિદ્યા કે દેવતાઓની સ્તુતિ વગેરે બધા ચાર વેદોમાં પ્રાપ્ત થાય છે. તેને સનાતન ધર્મનો આધાર માનવામાં આવે છે.
વેદ શબ્દ સંસ્કૃત ભાષાના વિદ્ ધાતુથી બન્યો છે. તેને હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર ગ્રંથ માનવામાં આવ્યો છે. તેનાથી વૈદિક સંસ્કૃતિ પ્રચલિત થઈ છે. એવી માન્યતા છે કે તેના મંત્રોને પરમેશ્વર અર્થાત્ ભગવાને પ્રાચીન ઋષિઓને સંભળાવ્યો હતો. એટલા માટે વેદોને શ્રુતિ પણ કહેવામાં આવે છે.
વેદ પ્રાચીન ભારતના વૈદિક કાળની વાચિક પરંપરાની સૌથી સારી રચના છે, જે પેઢી દર પેઢી પાછલા ચાર-પાંચ હજાર વર્ષોથી ચાલી આવીરહી છે.
વેદોના મુખ્ય રૂપે ચાર પ્રકાર છેઃ
1-ઋગ્વેદ
2-યજુર્વેદ
3-સામવેદ
4-અથર્વદેવ
ઋગ્વેદઃ- વેદોમાં સર્વપ્રથમ ઋગ્વેદનું નિર્માણ થયું. તે પદ્યાત્મક છે અર્થાત્ કાવ્યરૂપમાં છે. ઋગ્વેદને મંડળમાં વહેંચવામાં આવ્યો છે. તેના મંડળમાં 10 1028 સૂક્ત છે અને 11 હજાર મંત્ર છે. આ વેદની 5 શાખાઓ છે- શાકલ્પ, વાસ્કલ, અશ્વલાયન, શાંખાયન, મંડૂકાયન. ઋગ્વેદના દસમા મંડળમાં ઔષધિ સૂક્ત અર્થાત્ દેવતાઓનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તેને અર્થશાસ્ત્ર ઋષિએ બતાવ્યું છે. તેમાં ઔષધીઓની સંખ્યા 125ને લગભગ બતાવી છે, તે 107 જગ્યાએ પ્રાપ્ત થાય છે. ઔષધીમાં સોમનું વિશેષ વર્ણન છે. ઋગ્વેદમાં ચ્યવનઋષિને પુનઃ યુવાન કરવાની કથા પ્રાપ્ત થાય છે. તેમાં જળ ચિકિત્સા, વાયુ ચિકિત્સા, સૌર ચિકિત્સા, માનસ ચિકિત્સા અને હવન દ્વારા ચિકિત્સા વગેરેની પણ જાણકારી પ્રાપ્ત થાય છે.
આગળ વાંચો અન્ય કયા વેદોમાં શું છે-
યજુર્વેદઃ- આ વેદ ગદ્ય મય છે. તેમાં યજ્ઞની અસલ પ્રક્રિયા માટે ગદ્ય મંત્ર છે, તે વેદ મુખ્યતઃ ક્ષત્રિયો માટે હોય છે
યજુર્વેદના બે ભાગ છેઃ-
કૃષ્ણઃ વૈશમ્પાયન ઋષિનો સંબંધ કૃષ્ણ સાથે છે, કૃષ્ણની ચાર શાખાઓ છે.
શુક્લઃ યાજ્ઞવલ્ક્ય ઋષિનો સંબંધ શુક્લ સાથે છે. શુક્લની બે શાખાઓ છે. તેમાં 4- અધ્યાય છે. યજુર્વેદના એક મંત્રમાં ચ્બ્રોહિધાન્યોનું વર્ણન પ્રાપ્ત થાય ચે. તે સિવાય, દિવ્ય વૈદ્ય અને કૃષિ વિજ્ઞાનનો પણ વિષય તેમાં રહેલો છે.
આગળ વાંચો અન્ય બે વેદો વિશે...
સામવેદઃ- સામવેદ ગીતાત્મક અર્થાત્ ગીતના રૂપમાં છે. ચાર વેદોમાં સામવેદનું નામ ત્રીજા સ્થાન ઉપર આવે છે. ઋગ્વેદને એક મંત્રમાં ઋગ્વેદથી પણ પહેલા સામવેદનું નામ આવવાથી કેટલાક વિદ્વાન વેદોનો જ એક પછીની એક રચના માનીને દરેકને સ્વતંત્ર માને છે. સામવેદમાં એ ગેય છંદોની અધિકતા છે, જેનો ઉપયોગ ગાન યજ્ઞોનો સમય હતો. 1824 મંત્રોના આ વેદમાં 75 મંત્રોને છોડીને બાકીના બધા મંત્ર ઋગ્વેદ માટે જ હોય છે. આ વેદને સંગીત શાસ્ત્રનું મૂળ માનવામાં આવે છે. તેમાં સવિતા, અગ્નિ અને ઈન્દ્ર દેવતાઓ વિશે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. યજ્ઞમાં ગીતો માટ સંગીતમય મંત્ર છે, તે વેદ મુખ્યતઃ ગંધર્વ લોકો માટે હોય છે. તેમાં મુખ્ય કરીને 3 શાખાઓ છે, 75 ઋચાઓ છે.
અથર્વવેદઃ- તેમાં જાદુ, ચમત્કાર, આરોગ્ય, યજ્ઞ માટે મંત્ર છે. આ વેદ મુખ્ય રૂપે વેપારીઓ માટે હોય છે. તેમાં 20 કાંડ છે. તેના આઠ ખંડ છે, જેમાં ભેષજ વેદ અને ધાતુ વેદ આ બે નામ મળે છે.