પ્રેમ જ શાશ્વત છે, શરીર નહીં,,, પ્રેમ અમર છે શરીર નહીં, પરંતુ દ્વેત ભાવમાં લીલા સ્વરૂપે જ પ્રેમ દ્રષ્ટિ ગોચર છે.
રાગાત્મિકા ભક્તિ ની અનુભૂતિ એ પ્રેમ નો ઉદ્દેશ છે..જે શરીર મન બુદ્ધિ વગર શક્ય નથી. તેથી કોઈપણ સાચો પ્રેમ શબ્દ નો મોહતાજ નથી...
સ્વયં પ્રેમ જ પ્રેમ ની સમજણ છે.. શબ્દો નહીં.શબ્દો ની હેસિયત નથી , કે પ્રેમનું સાચુ રૂપ વર્ણવી શકે. આ દુન્યવી જીવન પણ પ્રેમ છે , માટે જ ટકી રહ્યું છે. એ સમજણ ઊંડી છે. જે સામાન્ય રીતે ખ્યાલ માં આવતી નથી.
શારિરીક માનસિક આકર્ષણ થાય એ પ્રકૃતિ માં સહજ છે, સાહજિક રીતે એ થવું પ્રકૃતિ માં છે. જે દેહ અધ્યાસ અને ગુણો માં જીવન જીવે છે. ત્યાં આકર્ષણ નો પ્રેમ સ્વભાવિક છે
પરંતુ પ્રેમ સ્વીકારી ને સાથે જીવતા, એકબીજા ની ભાવના લાગણી અને જરૂરિયાત ની પુર્તિ કરવી પડે છે. તેમાં ત્યાગ એ
મહત્વપૂર્ણ છે. જ્યાં સુધી ત્યાગ છે સંબંધો ટકાઉ હોય છે.
જેવો સ્વાર્થ આવ્યો સંબંધો છુટી જાય છે.આ દુનિયાદારી નો
પ્રેમ છે.
પ્રેમ તો શાશ્વત છે, એનું સ્વરૂપ જ ત્યાગ છે.સહિષ્ણુતા, દયા કરુણા હોય ત્યાં પ્રેમ ટકી રહે છે. પ્રેમ જીવન જીવવાની જડીબુટ્ટી છે. પ્રેમ એટલે જ આનંદ એનો બીજો પર્યાય હોય જ નહીં. માનવ સામાજિક પ્રાણી છે, એને એકબીજા. સહારા જરુર છે.આજ કાલ સ્વાર્થ ના લીધે કૌટુંબિક ભાવના મરી પરવારી છે. માતા પિતા વૃધ્ધાવસ્થા માં આશ્રમમાં છે. શું આને આપણે પ્રેમ કહી શકાએ.
માટે , પ્રેમ ને સમજવો હોય તો ,દેહ દ્રષ્ટિ છોડીને , આત્મચેતના ને નિહાળવા નો અભ્યાસક્રમ કરવો જોઈએ. આ બ્રહ્માંડ ઈશ્વર નું સ્વરૂપ છે, ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે, માટે બધા માં ભગવાન છે , એ ભાવનાથી જીવન જીવીએ, તો સાચા પ્રેમની અનુભૂતિ અને અભિવ્યક્તિ નો સાક્ષાત્કાર થાય છે ્
====={}======{}====={}======{}=====