આજે જ્યોતિષ વિદ્યાનો જમાનો ફુલ્યોફાલ્યો છે...કયા ગ્રહો આપણને રાશી પ્રમાણે નડેછે કે કયા ગ્રહો આપણી રાશીને ફાયદાકારક છે તે જાણવા આપણે રોજ ચોપડીઓ પુસ્તકો ને તેનાથી વધુ ટીવીમાં આવતી જાત જાતની જાહેરાતો માં આપણે લલચાઇ જઇએ છીએ...આજે જાહેર અખબારોમાં પણ પાના ભરી ભરીને આવી જ્યોતિષોની જાહેર ખબર રોજ આવ્યા કરેછે...સાથે તેમના ટેલીફોન નંબરો સાથેની આવી જાહેરાતો છપાયછે...પણ ઘણા જ્યોતિષોની આગાહી સાચી પણ પડતી હોય છે તો ઘણા જ્યોતિષોની આગાહી ફેક પણ હોયછે..જો તમને આમાં વિશ્વાસ જરા પણ ના હોય તો તેનો કોઇ મતલબ નથી હોતો પણ આજકાલ તો દેખાદેખીથી ઘણા ડુપ્લીકેટ જ્યોતિષ ઉભા થઈ ગયા છે..જે હમેશા આપણી પાસેથી બસ પૈસા જ પડાવતા હોયછે..આ કરો કે તે કરો તો તમને જરુર ફાયદો થશે..
અથવા રાશી પ્રમાણે આ નંગ સોનાની કે ચાંદીની વીંટીમાં પહેરવાથી ચોકકસ ફાયદો થાયછે...પણ જો તે નંગ સાચુ હોય તો જરુર ફાયદો થતો જોવા મળે છે પણ જો તે નંગ નકલી આપ્યું હોય તો તમને કોઇ ફાયદો થતો દેખાતો નથી.
આ બધુ આપણા દેશમાં જ ચાલી રહ્યુ છે પણ તમે પરદેશમાં જશો તો કોઇ ધોળીયાના હાથની આંગળીમાં એક પણ વિટી પહેરેલી જોવા નહિ મળે..નથી તેઓ વિટીઓ પહેરતા કે નથી માળા પહેરતા..બસ તેઓ મહેનતમાં જ માનતા હોયછે..તેઓ જાણેછે કે પૈસો સુખશાન્તિ પણ મહેનત કરવાથી જ મળેછે...માટે તેઓ મહેનતને વધુ સ્થાન આપેછે..કયારેક તેઓ ગળામાં ક્રોસનું પેન્ડલ જરુર પહેરતા હોયછે..ને ટેટુ તેમનો શોખ હોયછે..
એક દિવસની આ વાતછે કે ત્યારે હુ ઘણો જ નાનો હતો..તે સમયે મારા ઘરની પરિસ્થિતિ સારી ના હતી એટલે હુ પણ આમાં ભટકી પડયો હતો..એક દિવસ પેપરમાં આવેલી જાહેરાત પ્રમાણે હુ એક જ્યોતિષ ને ત્યાં ગયો..સરનામા પ્રમાણે તેમની ઓફિસ પણ મને સરળતાથી મળી ગઈ હતી..અંદર મને બોલાવવામાં આવ્યો પછી હુ જેવો તેમની ઓફિસમાં. ગયો તો બધુ જોઇને દંગ રહી ગયો..ચોફેર દિવાલે ભગવાનના મોટા મોટા ફોટાઓ હતા..જે ગોલ્ડન ફ્રેમમાં મડેલા હતા..એક ફોટાની સામે અગરબત્તી ને દિવો સળગતો હતો..જ્યોતિષ સફેદ કપડામાં સજજ હતા આખે કાળા ચશ્મા હતા..હાથમાં સફેદ સિગારેટ સળગતી હતી..પછી બોલ્યા બેટા શા માટે આવ્યો છે! મે કહ્યુ જરા મારો હાથ જુઓને મને ને મારા ઘરમાં તકલીફો કેમ આવેછે! પછી તે બોલ્યા લાવ બેટા તારો હાથ હમણા જ જોઇ આપું મે મારો હાથ લાંબો કર્યો પછી મારો હાથ જોઇને જરા ગભરાટ અવાજે બોલ્યા અરે બેટા તુ તો અમીર હોવા છતાય ગરીબ રહયા કરેછે! મે પુછયુ કે હુ સમજયો નહિ જ્યોતિષ ભાઇ..જરા વિગતે સમજાવોને..જા બેટા ઘેર ને તારા રસોડામાં એક કાટખુણા વાળો પથરો ચોટાડેલો છે તેને રાતના બાર વાગ્યા પછી ઉખાડીને ખાડો કરવાનો તો તેમાથી એક ચરુ નીકળશે..તેમાં લાખો રુપીયાના સોના ચાંદીના ઘરેણા નીકળશે..પણ જો હુ તારી સાથે હોઉ તો જ નીકળશે જો તુ જાતે ખોદીશ તો કંઇ જ નહિ નીકળે..પણ મને આ જયોતિષના મનમાં કંઇ કાળુ દેખાયુ..ને વિચાર્યુ કે આ ભાઇ ગમે તેમ ખોટુ કહીને મારા ઘર સુધી આવવા માગેછે ને પછી ઘરે પહોચ્યા પછી કંઇક વધુ ખરાબ કામ કરશે તો અમો વધુ હેરાન થઈ જઇશુ..બસ મે તેને એકાવન રુપીયા તેની ફી આપીને કંઇ પણ જવાબ આપ્યા વગર તેના ઓફિસની સડસડાટ સીડી નીચે ઉતરી ગયો...
ત્યારથી જ મને આ જયોતિષોમાંથી વિશ્વાસ ઉઠી ગયો..પછી સમજયો કે જે નસીબમાં ભગવાને લખેલુ છે તે થઇને જ રહેછે તેને આપણે જરાય બદલી શકતા નથી...રામ રાખે તેમ રહીએ..
जो होगा वो देखा जायेगा।