વધુ પડતું બોલવું જેટલું અયોગ્ય છે એટલું જ ગેરવાજબી નક્કામું સાંભળવું છે.જિંદગીનો થોડોક સમય ‘સાયલન્સ ઝોન’હોવો જોઈએ.જીવનના અમુક સમયે ઘડીયાળ સામે ‘નો નોઈસ પ્લીઝ’નું બોર્ડ મૂકી દેવું જોઈએ.સુરજ કોઈ અવાજ વગર ઉગે છે.હવા પણ જ્યાં સુધી એનો મગજ ન ફરે ત્યાં સુધી એની હાજરી ન વર્તાય એ રીતે વહેતી રહે છે.કૂંપળ ફૂટતાં પહેલાં ધડાકો કરતી નથી.સ્થિરતા એ હલનચલનનું મૌન છે.
-Krishnakant Unadkat