#kavyotsav_2

પિંજરું
તોડવું છે..

રિવાજોના બંધનમાં
કેદ થયેલાં
એક પંખીને છોડવું છે..

એક અંધારી રાતમાં,
જાત સાથેના સંગાથમાં,
કોઈ સૂમસામ માર્ગમાં,
ઉઘાડા પગે દોડવું છે..

એક અજાણી આંખમાં,
કુદરતના સહવાસમાં,
કોઈ ગુમનામ રાહમાં,
ખુલ્લા મનને જોડવું છે..

પિંજરું
તોડવું છે..?

English Poem by Snehal Tanna : 111164150

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now