#કાવ્યોત્સવ૨

શી રીતે આંકશો અહિં મૂલ્ય, છે આ શ્રદ્ધા કે અંધશ્રદ્ધા
માંગી રહ્યા છે ધીરજ જો ને, કહે આપવામાં દેર ન કરતાં

છે શાખ અહિં ઈશ્વર ની કેવી ભકિત કરવાં મુહૂર્ત જોતાં
આપવા માટે ઓછું જ હમેંશ ને માંગવા માનતાઓ લેતાં

પ્રાર્થનાઓ સંભળાતી અંશે તારી કથાઓમાં લાખો શ્રોતા
ધૂપ દીવા ને નૈવૈધ બધે જ પણ માણસાઈ ના દીવા ઠરતાં

વ્રત ઉપવાસ હરખ ભેર થતાં ને દીનના બચ્ચાં ટુકડો રડતાં
કર્મ કરવા ને પાંગળા થતાં ને ફળ મેળવવા એ દોટ મૂકતાં

જોયાં છે તારા મદિરોમાં અહિં પ્હોરે પ્હોરે વાઘા બદલાતાં
આસ્તિક નાસ્તિક તું જાણે તને માનનારા તારું ક્યાં માનતા

જ્ઞાન ઉપદેશ છે દંભ આજે આ ગીતા સાર છે કોઈ માનતા?
ચરિત્ર ના વાઘા તો બદલ્યા, સ્વાર્થ નીકળતાં તને ય બદલતાં

દિલગીર ખરો એ વાતમાં, નહિં શોભતો આમ વર્ણન કરતાં
છું "આસક્ત" હું પણ કે યાદ કરું તને માત્ર તકલીફ પડતાં

– Mayur Anuvadia (આસક્ત)

Gujarati Poem by MAYUR ANUVADIA : 111162781

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now