કોઇને પોતાના સાચો ધર્મ નિભાવવો હોય કે મનમાં સેવા કરવાની કોઇ ઇચ્છા પ્રગટ થતી હોય તો બસ એક જ નિયમ પ્રમાણે તેને કામ કરવું જોઈએ કે...
ભુખ્યાને ભોજન ને તરસ્યા ને પાણી આપવું...
કોઇ ભુખ્યાને એક રોટલી આપશો કે તરસ્યાને એક ગ્લાસ પાણી આપશો તો આપણું કંઇજ ખુટી જવાનું નથી...ઉલ્ટાનું કયારેક તે વધી પણ જશે જે આપણને કંઇ ખબર પડવાની નથી...
તે ત્યારે જ આપણને ખબર પડશે કે આપણું કોઇ અટકતું કામ જયારે તે કોઇપણ મુશકેલી વગર પરીપૂર્ણ થતું દેખાશે ત્યારે આપણને કોઇને કરેલી કોઇ સેવાનું કામ યાદ આવી જશે...
આજે લગ્નોમાં જમવાનો ઘણો જ બગાડ થાયછે તેમજ જરુરી કરતાં પણ રસોઇ વધું બનતી હોયછે ત્યારે તે ચીજોનો કયાં ઉપયોગ કરવો તે જલદી સમજાતું નથી પરંતું ગરીબોને ભોજન પહોંચાડતી એવી ઘણીબધી સંસ્થાઓ આજ ચાલે છે જે આવું વધેલું જમવાનું રોડ ઉપર રહેતા ગરીબ મજુરો કે રસ્તાઓ ઉપર ફરતા ગરીબ ભિખારીઓને મોં સુધી મોકલી આપેછે...
જનસેવા એજ પ્રભુસેવા...
પૂર્વજો જે આ પંક્તિ આપણને કહી ગયા છે તે જરાય ખોટી તો નથી જ...
આપણે સૈ જાણીએ છીએ કે આપણામાં જયાં સુધી જીવ છે ત્યા સુધી બધું આપણું હોયછે ને પછી બધું કોણ લઇ જશે તે આપણે જોવાના નથી...
માટે મારું નહી પરંતું આપણા સૈનુ સમજીને એક નેક જીવન જીવી લઇએ એ જ આપણે સાચું જીવન જીવ્યા બરાબર હોયછે...