આજે કર્યું તે કાલે મળશે એની આ વાત છે.
કર્મ ચોક્કસ સૌને ફળશે એની આ વાત છે.
સારાં કે ખરાબ કર્મો વિચાર મુજબ થાય છે,
સિદ્ધાંત કર્મનો ના ટળશે એની આ વાત છે.
છોને હરખતાં બૂરાં કામ કરી મેળવી લીધુંને,
ઉંમર વધતાં જીવન ઢળશે એની આ વાત છે.
ઈશ્વરનેય બાધક બને કર્મ અવતાર ધર્યા પછી,
તો પછી માનવ કેમ બચશે એની આ વાત છે.
ક્ષુલ્લક લાભ સારુ કેટકેટલાં કર્મો કરાય અહીં,
એકદિ' પોથી પ્રભુની ખૂલશે એની આ વાત છે.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.