Gujarati Quote in Thought by SHILPA PARMAR...SHILU

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"આધુનિક સંવાદ..."

આજ કાલના વોટ્સએપ અને ફેસબુકના જમાનામાં માણસ જાણે સ્વરપેટીનો ઓછો ઉપયોગ કરતો હોય એવું લાગે છે. શબ્દોની જગ્યા હવે ટાઈપિંગએ લઈ લીધી છે. માણસ બોલે છે ઓછું પણ ટાઈપ ઘણું કરે છે. બે વ્યક્તિ વચ્ચે વાતો તો થાય છે પણ સંવાદ નથી થતો. મારા મતે વોટ્સઅપ કે ફેસબુકમાં થતી ચેટીંગને વાતો કહી શકાય પણ બે વ્યક્તિ વચ્ચે આંખમાં આંખ પરોવીને શબ્દોની જે આપ લે થાય છે એ જ ખરો સંવાદ. આજે ઘણા લોકો ટાઈપિંગ કરતી વખતે ફકરા જેટલું ટાઈપ કરી નાખે છે પણ એ જ વાત જ્યારે બોલવાની આવે છે ત્યારે બોલી શકતા નથી. આ વસ્તુ ક્યાંય ને ક્યાંય માણસમાં આત્મવિશ્વાસ ઓછો કરે છે. હું માનું છું ત્યાં સુધી જે માણસ સામે વાળાની આંખમાં આંખ પરોવીને સંવાદ કરી શકે છે એ વિશ્વાસપાત્ર માણસ હોય છે. કારણકે આંખ સત્યની અને શબ્દોની જ ભાષા સમજે છે. આંખો અસત્યને ટકવા દેતી નથી. કદાચ એટલે જ ઘણા ઓછા લોકો આ રીતે આત્મવિશ્વાસથી વાત કરી શકતા હોય છે.


માણસે બોલવાનું ઓછું કર્યું સાથે સાથે લખવાની બાબાતે પણ એ આળસુ થતો જાય છે. એક સમય હતો જ્યારે માણસ સંવાદ કરવા માટે પત્રવ્યવહારનો ઉપયોગ કરતો હતો. એ પત્રના શબ્દો પણ બોલાયેલા શબ્દોથી ઓછા ન હતા. પારુલ ખખ્ખર પોતાની એક રચનામાં લખે છે કે, "વળગી જશે , ભરખી જશે જઇ ચોટલી બાંધો સ્મરણના પ્રેતની માથું પછાડી ત્યાં અધૂરી લાગણી વળ ખાય તો પકડો કલમ" કાગળ અને કલમ હાથમાં લઈને પત્ર લખવાની અને પાછું પત્રના જવાબની રાહ જોવાની એક અલગ જ મજા છે. આજની આ વોટ્સએપના બ્લુ ટીકની ભાષા સમજનારી પેઢી આ ધીમા પણ મીઠા પત્રવ્યવહારને ભાગ્યે જ સમજી શકે છે. ભવિષ્યમાં કદાચ એવો સમય આવશે જ્યારે કાગળ અને કલમ બનવાના જ બંધ થઈ જશે. કારણ કે એનો ઉપયોગ કરનાર લોકોની સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ હશે.



આજે આપણે એટલી હદે આધુનિક સંવાદ કરતા થઈ ગયા છીએ કે નાની નાની વાતોને પણ આપણે બોલવાને બદલે ટાઈપ કરવાનું વધારે પસંદ કરીએ છે. હા એ વાત સ્વીકારવી જ રહી કે ટેક્નોલોજી આવી પછી આપણા સમયનો બચાવ થયો છે. આપણે સમય તો બચાવી લીધો પણ ક્યાંકને ક્યાંક લાગણીઓની બચત પણ થઈ રહી છે. આધુનિક સંવાદ માણસને દુઃખી કરે છે. એક સર્વે અનુસાર વધારે બોલતો માણસ ઓછું બોલનારની સરખામણીમાં વધારે ખુશ હોય છે. માણસનું ઘણું દુઃખ તો એમ જ શબ્દો દ્વારા શબ્દોની જેમ જ વહી જતું હોય છે પણ એના માટે જરૂરી છે "સંવાદ." તો તૈયાર છો ને તમે બધા સંવાદ કરવા માટે...!!


છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે:

આઓ જરા હસ લે, રોને સુને
પલ સારે દિવારે, કોને સુને
એક બેવજહ બેતુકી સી કહાનીમેં
અપને ભી કિરદાર હોને સુને
બાતો કે મતલબ જરૂરી નહીં
હો લફઝ યા લવ જરૂરી નહીં
બેઠો કભી સાથ મેરે ભી
દો બાતેં કરો, બાતેં કરો

- SHILPA PARMAR "SHILU"

Gujarati Thought by SHILPA PARMAR...SHILU : 111755904
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now