....#.... સોમરસનું સાતત્ય....#....

જય ભોળાનાથ સૌને....
કેમ છો બધાં??? સુખમાં તો છો ને???

ચાલો આજે ઘણી લપ ના કરતાં સીધા થાળ પર તૂટી પડીયે, અને એક ઓર સ્વાદિષ્ટ વ્યંજનનો,....ઉપ્સ..."સોમરસ"નો સ્વાદ લઇયે...
"સોમરસ" શબ્દ સાંભળતા જ મદ્યપાન કરનારાઓના મનમાં લડ્ડૂ ફૂટે નઇ..?
અને મદ્યપાન ન કરનારાઓના મનમાં ધૃણા કે અણગમો કે તિરસ્કાર ભાવ જાગે...ખરું ને?
આ જ આપણી અજ્ઞાનતા. કોઇકે કહી દીધું કે,"દેવતાઓ સોમરસનું પાન કરી અપ્સરાઓનું નૃત્ય જોતા અને ભોગવિલાસ કરતા."
ખરેખર?? જે સનાતન ધર્મમાં માંસ-મદિરા વર્જિત છે એવી આજ્ઞા આપનાર દેવ, શું સ્વયં દારુડિયા હોય ખરાં?
માનવામાં આવે આ વાત?
ના... ન માની શકાય. પણ તેમ છતાંય ૯૯% લોકો આને સત્ય માને છે.
કારણ...? કારણ એજ કે આપણા સનાતન ધર્મના વિરોધીઓએ આ અફવાઓ ફેલાવી અને એથીયે દુ:ખદ એ કે,"આપણે એ અફવાઓને સમર્થન આપ્યું. માની લીધું"
ચાલો આજે આનું સ્પષ્ટીકરણ કરીયે. જો એક જીવના સમજમાં આ વાત આવી ગઇ તો આજની થાળીની મહેનત મારે મન વસૂલ થઇ...
જેમ આપણા ધર્મમાં તેંત્રીશ કોટી દેવતાઓ એટલે તેંત્રીશ કરોડ નથી. અહિંયા કોટી એટલે પ્રકાર છે. એન તેંત્રીશ પ્રકારના દેવતાઓ છે.
જેમ કોટી/કોટી માં ફરક છે. એવી જ રીતે, સોમરસ,મદિરા અને સુરાપાન આ ત્રણેયમાં ફરક છે. પરંતુ દ્વેષીઓ નાસ્તિકો દ્વારા ફેલાવેલ ખોટા પ્રચાર મુજબ વૈદિક કાળમાં દેવતા , રાજા - મહારાજા કે મોટા મોટા વિદ્વાન લોકો “ સોમરસ ” નું સેવન કરતા હતા , તેમના અને થોડા વિદ્વાનો ના “ સ્લીપર સેલ ” ફિલ્મ ટીવી ક્ષેત્રોમાં પણ ફેલાયેલા છે , માટે જ આપણ ને ઘણી ટીવી સીરીયલમાં બતાવવામાં આવે છે કે, દેવરાજ ઇન્દ્રની સભામાં સુંદર અપ્સરાઓ સોમરસ પીવરાવે છે, અને બધા દેવ તેનો આનંદ લે છે. સમાચાર પત્રો કે ચર્ચાઓમાં પણ ચાલાકીથી આ વાત મૂકી દેવામાં આવે છે કે દેવતા પણ દારૂ પીતા હતા . હંમેશા દારૂ ના સમર્થક લોકો પાસે એવું કહેતા સંભાળવામાં આવે છે કે," સોમરસ શું છે?દારૂ તો હતો.
ઓહ્‌ શું ખરેખર વૈદિક કાળમાં સોમરસ તરીકે દારૂ નો ઉપયોગ હતો? કે પછી તે માત્ર ભ્રમ છે ? કેમ કે ખોટો પ્રચાર કરવાવાળા લોકો વેદોની વાત કરીને જ ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરે છે. માટે આવો આપણે તેના વિષે વેદોના જ આધારો લઈને બધા સત્ય જાણીએ.
ખરેખર સત્ય એ છે કે,તે સમયકાળમાં આચાર વિચારની પવિત્રતા નું એટલું બધું ધ્યાન રાખવામાં આવતું હતું કે , થોડી પણ કોઈ આ પવિત્રતાને તોડે તો તેનો બહિષ્કાર કરવામાં આવતો હતો . કે પછી તેને આકરો પશ્ચયાતાપ કરવો પડતો હતો . સામાન્ય વાત છે કે "સનાતન ધર્મ કદિયે દારૂ પીવા અને માંસ ખાવાની પરવાનગી આપી શકતો નથી." એક સત્ય એ પણ છે કે, ધર્મ-આધ્યાત્મના પુસ્તકોમાં આપણે ઠેક ઠેકાણે નશાની નિંદા કે બુરાઈ સાંભળીએ છીએ. ત્યારે એ જ ધર્મ ની રચના કરનાર દેવતા કેવી રીતે દારૂ પી શકતા હશે ?
ઋગ્વેદમાં દારૂની ખુબ નિંદા કરતા જણાવેલ છે .
“હંસુ પીતાસો યુધ્યન્ત દુર્મદાસો ન સુરાયામ ”
અર્થાત્ કે સુરાપાન કરનાર કે નશીલા પદાર્થોને પીવા વાળા હંમેશા યુદ્ધ , મારા મારી કે ઉત્પાત મચાવ્યા કરે છે .
સોમરસ વિશે ઋગ્વેદમાં કહેવામાં આવ્યું છે કે,"નીચોવેલ સુદ્ધ દધિમિશ્રિત સોમરસ , સોમપાન ની પ્રબળ ઈચ્છા રાખવાવાળા ઇન્દ્રદેવને પ્રાપ્ત હોય છે, તે નીચોવેલ સોમરસ તીખો હોવાને કારણે દુગ્ધ માં મિશ્રિત કરીને તૈયાર કરવામાં આવેલ છે. આવો અને તેનું પાન કરો."
અહિયાં બધી જ રુચાઓમાં સોમરસમાં દૂધ અને દહીં મેળવવાની વાત થઇ રહી છે.સ્વભાવિક છે કે દારૂ માં દૂધ - દહીં તો ન ભેળવી શકાય . એટલે કે સોમરસ દારૂ કે મદિરા ન હોઈ શકે . અહિયાં આ એક એવા પદાર્થ નું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં દહીં પણ મેળવી શકાય છે . માટે તે વાત સ્પષ્ટ થઇ જાય છે કે સોમરસ જે પણ હોય , પણ તે દારૂ કે ભાંગ તો ક્યારેય ન હતી અને તેનાથી નશો પણ નથી થતો . મદિરા ના પાન માટે “ પાન ” શબ્દ નો ઉપયોગ કરવામાં આવેલ છે , જયારે સોમરસ માટે સોમપાનનો ઉપયોગ કરવામાં આવેલ છે . મદ નો અર્થ નશો કે ઉન્માદ છે, જ્યારે સોમ નો અર્થ શીતલ - અમૃત થાય છે . હવે સવાલ ઉઠે છે કે સોમરસનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે ? હકીકતમાં દેવતાઓ માટે આ મુખ્ય પદાર્થ હતો , અને અનેક યજ્ઞોમાં તેનો ઉપયોગ થતો હતો . વરાહપુરાણ મુજબ બ્રહ્મા અશ્વિની કુમાર જે સૂર્યના પુત્ર હતા , તેમને તેની તપસ્યા ના ફળના સ્વરૂપે સોમરસ પાન નો અધિકાર મળ્યો હતો. જે કોઈ દેવત્વને પ્રાપ્ત થતા હતા એમને પણ તપસ્યા પછી હવન દ્વારા જ સોમરસ પાન નો અધિકાર મળતો હતો . તો હવે એટલી પવિત્ર વસ્તુ દારૂ કેવી રીતે હોઈ શકે?
એક માન્યતા એ પણ છે કે , સોમ નામની લતાઓ(વેલ) પહાડોમાં મળી આવતી હતી . રાજસ્થાનના અબ્દ , ઓરિસા ના હિમાચલના પહાડો , વિંધ્યાચલ , મલય વગેરે અનેક પહાડી વિસ્તારોમાં તેની લતાઓ મળી આવવાનો ઉલ્લેખ મળે છે . અમુક વિદ્વાનો માને છે કે, અફઘાનિસ્તાન ના પહાડો ઉપર સોમ નો છોડ મળી આવે છે . તે વગર પાંદડાનો ઘાટા બદામી રંગનો છોડ છે . બીજા અધ્યયનોથી જાણવા મળે છે કે વૈદિક કાળ પછી , એટલે કે ઈ.સ. થી ખુબ પહેલા જ આ છોડ ની ઓળખ મુશ્કેલ થતી ગઈ . તે પણ કહેવામાં આવે છે કે સોમ ( હોમ ) અનુષ્ઠાન કરવા વાળા લોકોએ તેની જાણકારી સામાન્ય લોકોને ન આપી , તેને પોતાના સુધી જ રાખી, અને સમયાન્તરે આવા અનુષ્ઠાન કરવાવાળા નાશ થતા ગયા,અને આવી રીતે સોમ ની ઓળખ મુશ્કેલ થતી ગઈ .
ઋગેવમાં સોમરસ નિર્માણ ની વિધિ જણાવેલ છે . !!
"ઉચ્છિષ્ટ ખ્યોર્ભર સોમ પવિત્ર આ સુજ ! ની બેહી ગોરધી વ્યી !!"
અર્થાત્ કે "મુસલ થી કચરેલી સોમને વાસણમાંથી કાઢીને પવિત્ર કુશાના આસન ઉપર રાખો અને ગાળવા માટે પવિત્ર ચરમ ઉપર રાખો . !!
"ઔષધી સોમ સુનોતે પદેનમભીશુન્વન્તી !"
અર્થાત્ કે સોમ એક ઔષધી છે જેને વાટી - ઘૂંટીને તેનો રસ કાઢે છે.
સોમ ને ગાયના દુધમાં ભેળવીને ‘ ગવશિરમ ’ દહીં માં ‘ દૂધ્યશિરમ ’ બને છે . મધ કે ઘી સાથે પણ મિશ્ર કરી શકાય છે . સોમ રસ બનાવવાની પ્રક્રિયા વૈદિક યજ્ઞોમાં ખુબ મહત્વની છે . તેની ત્રણ અવસ્થાઓ છે : પેરના , ગાળવું અને મીલાવવું . કહેવામાં આવે છે ઋષિ - મુની તેને અનુષ્ઠાનમાં દેવતાઓને અર્પણ કરતા હતા અને પછી પ્રસાદના રૂપમાં પોતે જ તેનું સેવન કરતા હતા . સોમરસ એક એવું પીણું છે , જે સંજીવની જેવું કામ કરે છે . તે શરીરને હંમેશા યુવાન અને શક્તિશાળી બનાવી રાખે છે.
(સરળતાથી સમજાય એવું છે કે" આ પદાર્થ દારૂ કે નશાની કોઈ વસ્તુ તો હોઈ જ ન શકે.")

"સ્વાદુશ્કિલાય મધુમા ઉતાયમ ,
તીવ્ર : કિલય રસવા ઉતાયમ !
ઉતોનસ્ય પપીવાસમીન્દ્રમ ,
ન કશ્ચન શહત આહવેષ !! ઋગ્વેદ ( 6-47-1 )

અર્થાત્ કે સોમ રસ ખુબ સ્વાદિષ્ટ અને મીઠું પીણું છે , તેનું પાન કરવાવાળા શક્તિશાળી થઇ જાય છે , તે અપરાજિત બની જાય છે .

શાસ્ત્રોમાં સોમરસ લૌકિક અર્થ માં એક બલવર્ધક પીણું માનવામાં આવે છે . શું દારૂ પીવાથી ક્યારેય માણસમાં બળ આવી શકે છે ? કે તે શરીરને યુવાન બનાવી રાખી શકે છે ? પણ આ તો હિંદુ ધર્મને બદનામ કરવાનો હોય , માટે જ નાસ્તિકો, દારૂડિયાઓ સોમરસ ને “ દારૂ ” ના સ્વરૂપમાં પ્રચલિત કરે છે . થોડા વર્ષો પહેલા ઈરાનના પહાડોમાં ઇડા નામનો છોડ શોધવામાં આવ્યો . જેને સોમલતા માનવામાં આવ્યો છે .

હવે એથીયે ઉપર જો સોમરસની આધ્યાત્મિક બાજુ જોવામાં આવે તો એમ માનવામાં આવે છે કે, "સાધક જયારે સાધનાની ઉચ્ચ અવસ્થાએ પહોંચે છે, ત્યારે સાધકના શરીરમાં ઉત્પન્ન થતો રસ જ સોમ છે." એટલે જ કહેવામાં આવે છે કે,
"સોમમ્‌ તે પપીવન યત સવિશન્યોચ્છીમ !
સોમ ય બ્રહ્માનો વિદુર્ણ તસ્યશ્નાતી કશ્મન !!"
અર્થાત્ કે," એટલે કે એક સોમરસ આપણા અંદર પણ છે , જે અમૃત સ્વરૂપમાં પરમ તત્વ છે જેને ખાઈ પી નથી શકતા માત્ર જ્ઞાનીયો દ્વારા જ મેળવી શકાય છે."

# કહેવાનો અર્થ એ છે કે સનાતન ધર્મ ને બદનામ કરવા , તેની મજાક ઉડાવવા અથવા સનાતન ધર્મને બદનામ કરવા દારૂડિયા નાસ્તિક વેચાઈ ગયલા લોકો આપણા વૈદિક ગ્રંથો ના જુદા જુદા શબ્દોમાં ગમે તેવા અર્થ કાઢે છે,અને તેનો ખોટો પ્રચાર કરે છે. એની સામે આપણે પણ આવનારી પેઢીને સાચી માહિતી પહોંચાડવાનો સતત પ્રયત્ન કરતું રહેવું પડશે .


જય ભોળાનાથ...
હર હર મહાદેવ... હર....

Gujarati Blog by Kamlesh : 111745484
Kamlesh 3 year ago

ધન્યવાદ અનુરાગજી...❤❤❤

Kamlesh 3 year ago

ધન્યવાદ ફાલ્ગુનીજી...❤❤❤

Kamlesh 3 year ago

એકદમ સાચું શેફાલીજી... ધન્યવાદ...❤❤❤

Kamlesh 3 year ago

ધન્યવાદ દર્શિતાજી....❤❤❤

Kamlesh 3 year ago

ધન્યવાદ અબ્બાસ ભાઇ...❤❤❤

Kamlesh 3 year ago

ધન્યવાદ સોનલજી...❤❤❤

Falguni Dost 3 year ago

એકદમ સાચી વાત... અમુક માહિતીની જાણકારી અધુરી હોવાથી નવી પેઢી સાચી જાણકારી મેળવી શકતી નથી.. હુ ખુદ આ બધું જાણતી નહોતી... સરસ માહિતી

Kamlesh 3 year ago

ખુબ ખુબ ધન્યવાદ દિપ્તીજી...❤❤❤

Shefali 3 year ago

સરસ માહિતી.. ખોટા પ્રચાર અને અજ્ઞાનતા ના કારણે ઘણી બધી એવી માહિતી છે જે ખોટી રીતે પ્રસારવામાં આવી છે.

Abbas khan 3 year ago

વાહ ખૂબ સરસ✍

Sonalpatadia Soni 3 year ago

ગુરુજી આમ જ જ્ઞાનરસ પીરસતા રહેશો.ખૂબ સરસ માહિતી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now