Quotes by Shailesh Jani in Bitesapp read free

Shailesh Jani

Shailesh Jani

@janishailesh4031


વિઘ્નોને દૂર કરવાનો અવસર એટલે ગણેશ ઉત્સવ

ગણેશજીને ઘરે લાવવા, તેમની સ્થાપના કરવા, આરતી-પૂજા કરવા અને દસ દિવસ બાદ શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરી દેવું—એટલાથી જ ગણેશ ઉત્સવની પૂર્ણતા થતી નથી. ગણેશોત્સવનો સાચો અર્થ ત્યારે સાર્થક થાય, જ્યારે ગણેશજીના જીવન અને સ્વરૂપમાંથી કોઈ એક ગુણ આપણે આપણા જીવનમાં ઉતારીએ અને તેનાથી આપણા વિચારો, વર્તન અને જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન આવે.

ભગવાન ગણેશને વિઘ્નહર્તા અને બુદ્ધિના દેવ તરીકે પૂજવામાં આવે છે. પરંતુ ગણેશજીનું સ્વરૂપ પોતે જ જીવનનો સુંદર પાઠ ભણાવે છે. તેમનું મોટું મસ્તક વધુ વિચારવાની અને જ્ઞાન મેળવવાની પ્રેરણા આપે છે, મોટા કાન બીજાની વાત ધીરજપૂર્વક સાંભળવાનો સંદેશ આપે છે, નાની આંખો એકાગ્રતા શીખવે છે અને નાનું મુખ ઓછું તથા મીઠું બોલવાની પ્રેરણા આપે છે.

ગણેશજીનું મોટું પેટ જીવનમાં સારી-નરસી પરિસ્થિતિઓને પચાવી જવાની ક્ષમતા દર્શાવે છે. તેમનું વાહન મૂષક આપણને ઈચ્છાઓ અને મન પર નિયંત્રણ રાખવાનો સંદેશ આપે છે. આ ગુણોમાંથી જો આપણે માત્ર એક ગુણ પણ સાચા અર્થમાં અપનાવી લઈએ તો ગણેશોત્સવ આપણા માટે માત્ર ધાર્મિક પર્વ નહીં, પરંતુ આત્મપરિવર્તનનું પર્વ બની શકે.

આજના સમયમાં માણસના જીવનમાં અનેક વિઘ્નો છે. તણાવ, ક્રોધ, અધીરાઈ, અહંકાર, ઈર્ષ્યા, મતભેદ અને નકારાત્મક વિચારો ઘણી વખત આપણા સુખમાં અવરોધ બને છે. તેથી ગણેશજીની સ્થાપના સાથે જો આપણે પોતાના મનમાં પણ સદ્વિચારની સ્થાપના કરીએ તો એ ગણેશોત્સવની સૌથી મોટી ઉપલબ્ધિ બની શકે.

દસ દિવસ સુધી ગણેશજીની પૂજા કર્યા પછી જ્યારે તેમનું વિસર્જન કરીએ ત્યારે માત્ર મૂર્તિનું જ વિસર્જન ન કરીએ, પરંતુ આપણા જીવનની કોઈ એક ખરાબ આદત, નકારાત્મક વિચાર અથવા અહંકારનું પણ વિસર્જન કરવાનો સંકલ્પ કરીએ. ગણેશજીને વિદાય આપતી વખતે આપણા અંદરનો ‘નવો માણસ’ જન્મે—ત્યારે જ ઉત્સવનો સાચો હેતુ સિદ્ધ થયો કહેવાય.

ગણેશ ઉત્સવ આપણને શીખવે છે કે ભગવાનને ઘરમાં લાવવું સરળ છે, પરંતુ ભગવાનના ગુણોને જીવનમાં લાવવા માટે જાગૃતિ અને પુરુષાર્થ જરૂરી છે. મૂર્તિનું સ્થાપન થોડા દિવસ માટે થાય છે, પરંતુ સંસ્કારનું સ્થાપન જીવનભર માટે થઈ શકે છે.

આથી ગણેશોત્સવમાં આ વર્ષે એક નાનો સંકલ્પ કરીએ—ગણેશજીને માત્ર ઘરે નહીં, પરંતુ હૃદયમાં સ્થાપિત કરીએ. તેમની મૂર્તિનું વિસર્જન દસ દિવસ પછી થશે, પરંતુ તેમના ગુણોનું સ્થાપન આપણા જીવનમાં કાયમ માટે રહે.

સાચો ગણેશોત્સવ એ નથી કે આપણે ગણેશજીને કેટલા ભવ્ય રીતે ઘરે લાવ્યા; સાચો ગણેશોત્સવ તો એ છે કે ગણેશજીને જીવનમાં લાવ્યા પછી આપણે કેટલા સારા માણસ બન્યા.

વિઘ્નહર્તા ગણેશજી આપણા જીવનમાંથી વિઘ્નો દૂર કરે અને તેમની પાસેથી મળેલો જ્ઞાન, ધૈર્ય, વિવેક અને સંયમ આપણા જીવનને નવી દિશા આપે—એ જ ગણેશોત્સવની સાચી ઉજવણી છે... મનમંચ ન્યુઝ શૈલેષ જાની અમદાવાદ

Read More

શૂભ સવાર...🙏🏻
જય શ્રી રામ..
હર હર મહાદેવ.......
જય શ્રીકૃષ્ણ........
*આખું ને આખું હૃદય બદલી દેવાની બાબતમાં ભલે વિજ્ઞાને સફળતા મેળવી..*
*પણ;*
*એ હૃદયમાં રહેલી કડવાશને મીઠાશમાં ફેરવી નાખવાની સફળતાનો યશ તો માત્ર સંસ્કાર અને સ્વભાવને ફાળે જ જાય ....!!*
*🌹Good Morning! 🌹*

Read More

🙏🏻भूलने जैसी बात " याद " हैं..,

इसलिए तो संबंघो में " विवाद " हैं ...

કામ પણ હવે એટલું વધી ગયું છે કે, *"ગણેશોત્સવ"* લખ્યું હોય તો પણ શિક્ષકો તો હવે *ગુણોત્સવ* જ વાંચે છે...
🤣

ख्वाहिशें बहुत हैं
इस दिल में,
पर सुकून मिलता है
सिर्फ तेरी याद में...
शुभरात्रि ❤️

શનિ નડે છે એટલે...બધાને હનુમાન ચાલીસા મોઢે હોય છે.. પણ અફસોસ... કૃષ્ણ કોઇને નડતો નથી, બાકી બધાને આખી ગીતા મોઢે હોત....સુદામા ✍️✍️

Read More

શૂભ સવાર...🙏🏻
જય શ્રી રામ..
હર હર મહાદેવ.......
જય શ્રીકૃષ્ણ........
*સહનશક્તિ જીવનમાં ખુબ જ જરૂરી છે, કેમ કે,....*
*ક્યારેક તાકાત અને મોકો હોવા છતાં જતું કરવું એ ખુબ અઘરું છે...*
*🌹Good Morning! 🌹*

Read More

जिसके पास "शुद्ध" और "निःस्वार्थ मन" है,
उसके पास संसार की सबसे बड़ी "दौलत" है।

પર્યુષણ એટલે શરીર અને આત્માની શુદ્ધિ

આત્મચિંતન, સંયમ અને ક્ષમાના પવિત્ર પર્વનો સાચો સંદેશ

પર્યુષણ પર્વ એટલે માત્ર ધાર્મિક આરાધના અને ઉપવાસનું પર્વ નથી, પરંતુ શરીર, મન અને આત્માની શુદ્ધિ કરવાનો પવિત્ર અવસર છે. જૈન ધર્મનું આ મહાપર્વ મનુષ્યને થોડા દિવસો માટે બહારની દુનિયાની દોડધામથી દૂર રહી પોતાના અંતરમાં ડોકિયું કરવા અને પોતાની ભૂલોનું આત્મપરીક્ષણ કરવા પ્રેરણા આપે છે.

આપણે શરીરને સ્વચ્છ રાખવા માટે દરરોજ સ્નાન કરીએ છીએ, સ્વચ્છ વસ્ત્રો પહેરીએ છીએ અને ઘર-આંગણું સાફ કરીએ છીએ. પરંતુ આપણા મનમાં વર્ષોથી જમા થયેલો ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષ્યા અને દ્વેષનો કચરો સાફ કરવાનો વિચાર કેટલા લોકો કરે છે? પર્યુષણ આપણને આ જ આંતરિક સફાઈનું મહત્વ સમજાવે છે.

આ પર્વ દરમિયાન ઉપવાસ, એકાસણું, આયંબિલ, સ્વાધ્યાય, પ્રતિક્રમણ અને ધાર્મિક આરાધના દ્વારા આત્મસંયમ કેળવવામાં આવે છે. ઉપવાસ માત્ર અન્નનો ત્યાગ નથી; તેનો સાચો ભાવ છે—દુર્ગુણોનો ત્યાગ અને સદગુણોનો સ્વીકાર. મનને શાંત કરવું, વાણીમાં મધુરતા લાવવી અને પોતાના વર્તનથી કોઈને દુઃખ ન પહોંચે તેની કાળજી રાખવી એ પણ પર્યુષણની સાધના છે.

પર્યુષણનું સૌથી સુંદર પાસું છે ક્ષમાની ભાવના. જીવનમાં સંબંધો વચ્ચે ક્યારેક ગેરસમજ, મનદુઃખ કે અણબનાવ થાય છે. અહંકારને કારણે આપણે ઘણી વખત “પહેલા તે માફી માંગે” એવી રાહ જોતા રહીએ છીએ. પર્યુષણ આપણને શીખવે છે કે સંબંધ કરતાં અહંકાર મોટો નથી. પોતાની ભૂલ સ્વીકારીને ક્ષમા માંગવી અને બીજાની ભૂલને હૃદયપૂર્વક માફ કરવી એ સાચી આધ્યાત્મિકતા છે.

“મિચ્છામિ દુક્કડમ્” એટલે જાણતાં-અજાણતાં, મનથી, વાણીથી કે કર્મથી કોઈને દુઃખ પહોંચાડ્યું હોય તો ક્ષમા માંગવાની ભાવના. આ શબ્દો માત્ર પરંપરા બની ન રહે, પરંતુ આપણા જીવનમાં પરિવર્તન લાવે તે જ પર્યુષણની સાચી સફળતા છે.

આ પર્વ આપણને અહિંસા અને જીવદયા સાથે જોડે છે. દરેક જીવ પ્રત્યે કરુણા રાખવી, જરૂરિયાતમંદની મદદ કરવી, કોઈના દુઃખમાં સહભાગી થવું અને પોતાના જીવનમાં સાદગી તથા સંયમ લાવવો—આ બધું પર્યુષણની ભાવનાને જીવનમાં ઉતારવાના માર્ગો છે.

આજના ઝડપી અને તણાવભર્યા જીવનમાં માણસ પાસે બધું હોવા છતાં આંતરિક શાંતિનો અભાવ જોવા મળે છે. આવા સમયમાં પર્યુષણ આપણને થોભવાનું, વિચારવાનું અને પોતાની જાતને ઓળખવાનું શીખવે છે. બહારની સફાઈથી ઘર સુંદર બને છે, મનની સફાઈથી જીવન સુંદર બને છે અને આત્માની શુદ્ધિથી જીવન સાર્થક બને છે.

ચાલો, આ પર્યુષણ પર્વે આપણે માત્ર ધાર્મિક વિધિ પૂરતી સીમિત ન રહીએ. એકબીજા પ્રત્યે પ્રેમ વધારીએ, અહંકાર છોડીએ, ક્રોધ પર નિયંત્રણ રાખીએ, જરૂરિયાતમંદની મદદ કરીએ અને આપણા અંતરમાં રહેલા નકારાત્મક વિચારોને વિદાય આપીએ.

પર્યુષણના દિવસો પૂરા થાય ત્યારે આપણા હાથમાં માત્ર ધાર્મિક અનુભવ નહીં, પરંતુ વધુ શુદ્ધ વિચાર, વધુ નમ્ર સ્વભાવ અને વધુ કરુણાભર્યું હૃદય હોવું જોઈએ.

આ જ પર્યુષણનો સાચો સંદેશ છે—
“પોતાને બદલો, અંતરને શુદ્ધ કરો અને સૌના જીવનમાં પ્રેમ તથા શાંતિનો પ્રકાશ ફેલાવો.”

Read More

શૂભ સવાર...🙏🏻
જય શ્રી રામ..
હર હર મહાદેવ.......
જય શ્રીકૃષ્ણ........
*જીંદગી બદલવા માટે,*
*લડવું પડે છે,*
*અને*
*જીંદગી સહેલી કરવા માટે,*
*સમજવું પડે છે સાહેબ ....*
*મોજ તો મન થી થઈ શકે,*
*ધન થી તો ચુકવણી જ થાય..*
Good Morning 🌻🙏🏻

Read More