Quotes by હર્ષા દલવાડી તનુ in Bitesapp read free

હર્ષા દલવાડી તનુ

હર્ષા દલવાડી તનુ

@harshadalwadi1181gma
(72)

*Pen People Publication House* & *Nishu Creation*
Brings you New Anthology

Name - *Winds of Change*
Theme - *Love, Positive Attitude, Tips of Living Life*
Language - *English*
Word Limit - *1000 Words +(50 Words Bio + Photo)*
Total Slots - *20* Writes only
Encouraging writers will get *E certificate* & *E poster*.


*Terms and conditions*
(1). Every author must write his/her *own original* works, or else legal action will be taken if there is any copying or copying.
(2). At the end of the writing, a commitment and introduction in only 50 words and a photograph have to be sent.
(3). Those *who want to buy the book can buy it*.
(4). Book Survey will get *print on demand*.


Contact for more information.
Harsha Dalwadi - 7046972592
Jaydeep Pandya - 7202048484

Join the Group to be Co Author
https://chat.whatsapp.com/HLOwT8iWQckHhq9nEEIbDZ

Read More

Nature's beauty is limitless, it soothes our souls and touches our hearts in approaches we can't even specific. Its grandeur lies in the majestic mountains, cascading waterfalls, serene lakes, vibrant forests, bustling towns, and endless seas.

Our planet offers us endless advantages; easy air to breathe, sparkling fruits and vegetables to eat, refuge from harsh climate conditions, sources of minerals and metals essential for human development, medicinal plant life providing recovery powers, and lots extra. It serves as a dwelling organism assisting existence on Earth whilst retaining its ecological stability.

However, we have been exploiting nature recklessly through the years causing irreversible damage. Deforestation, pollutants, climate exchange, overexploitation of assets have taken their toll on Mother Nature. As accountable beings, it's far our responsibility to shield her and preserve her elegance for destiny generations to cherish.

Let's pledge these days to undertake sustainable practices like recycling, reducing carbon footprint by using eco-friendly transportation alternatives or energy saving methods, maintaining water, protecting natural world habitats, planting trees, promoting natural farming, and spreading focus approximately maintaining nature among others. Together we will make this global a higher area for all residing beings!

For a heart touching quote on nature: "In every walk with nature one receives some distance more than he seeks." - John Muir. Remember, when you love something, you don't take it for granted however instead cherish it and nurture it to preserve it thriving for all time. Let's keep loving and respecting our beautiful planet earth!
Harsha Dalwadi tanu
#Nature

Read More

*જૂની સાડી*

સાડી જૂની જોઈ કબાટમાં આજ રોઈ લીધું,
વિટોડી એ કાપડ મા ની છબી જોઈ રોઈ લીધું.

હાથમાં એ સ્પર્શ કરી અંગે અંગમાં સ્ફુરી લીધું
સાડી જૂની જોઈ કબાટમાં આજ રોઈ લીધું.

હતી ત્યારે દરરોજ વખોડી બોલી લીધું,
સાડી જૂની જોઈ કબાટમાં આજ રોઈ લીધું.

હસતા હસતા એણે હમેશાં કડવું પી લીધું,
સાડી જૂની જોઈ કબાટમાં આજ રોઈ લીધું.

મમતા એણે વરસાવી ' તનુ ' તે માની લીધું,
સાડી જૂની જોઈ કબાટમાં આજ રોઈ લીધું.

©️ હર્ષા દલવાડી' તનુ '
જામનગર

🙏 દરેક મા ને સમર્પિત 🙏

Read More

પ્રેમ તો એક બહાનું બની જાય છે
જૉ ને એ કેવી રમતમાં ફેરવાઈ જાય છે.
©️ હર્ષા દલવાડી તનુ

છૂટાછેડા

‍છૂટાછેડા આ શબ્દ આપણા ગુજરાતીઓ માં બોલાય છે, હિન્દી માં તલાક, અંગ્રેજી માં divorce પરંતુ જયારે રીત રિવાજ મુજબ સપ્તપદીના ફેરા ફરી લગ્ન થતાં હોય ત્યારે આપણે એક શબ્દ બોલાય છે છેડાછેડી બાંધો અને આ બન્ને શબ્દો માં એક જ અક્ષર ઉમેરતાં કેટલું ઉંડાણ આવે છે, એક શબ્દ બે અલગ જીવ અને અલગ પરિવારને જોડવાનું કામ કરે છે અને જયારે બીજો શબ્દ બે જીવ એક થયા હતા એને અલગ કરવાનુ કામ કરે છે. આ એક ફકરો વાંચી એ તો કેટલો ભાવુક કરી દે, અને બીજી જ ક્ષણે જૉ મહિલાઓ એ વાચ્યું તો એ એમની આસપાસ ની સ્ત્રી અથવા એમનાં પર આ બન્ને શબ્દનો પ્રયોગ થયો હોય તો એ ચિત્કારી ઉઠે એમને જેટલો સમય એ શબ્દોમાં વિતાવ્યો હોય છે એ નજર સામે એક ચિત્ર જેમ ઘૂમવા લાગે છે અને જો પુરૂષ એ વાચ્યું હોય તો એ પીડા અનુભવી જાય છે. તો હવે સવાલ એ થાય છે કે જો બંને બાજુ એ પીડા જ છે તો જીવનમાં કયો શબ્દ અપનાવવો? છેડાછેડી કે છૂટાછેડા? જયારે પુરૂષ છૂટાછેડા લે છે ત્યારે એ છેડાછેડી પછી જો ત્રાસ આપવા બદલ એ છૂટાછેડા લે છે પણ સ્ત્રી એ તો કેટલું સહન કરી લે છે, આજના સમયમાં પણ ઘણી વખત સ્ત્રી એ છૂટાછેડા લેવા માટે નિર્ણય લીધો હોય તો એ છે એનાં સ્વમાન માટે પછી તો આમ પણ સ્ત્રીઓ બદનામ જ છે, સમાજ ભલે ગમે તેટલો સુધરેલ હોય પરંતુ ખાબોચિયા રૂપી માણસ તો આપણે જ છીએ.

અહીં એક વાત રજૂ કરી રહી છું જે મે સાંભળેલી અને વાંચેલ અને ક્યાંક ને ક્યાંક કોઈ રીતે પોતાની જાતને એ જગ્યાએ રાખી કલ્પનાઓ માં અનુભવેલ. કોર્ટમાં કેસ રજૂ કરવામાં આવ્યો કેસ જોઈએ તો હતો જ નહીં અને જોઈએ તો ઘણું બધું કહી જાય એટલું હતું , રિધ્ધિ ને વકીલ એ પૂછ્યું ક્યાં કારણે છૂટાછેડા લઈ રહ્યા છો? રિધ્ધિ એ એટલું જ કહ્યું માત્ર ને માત્ર આત્મસન્માન માટે, ત્યારે વકીલ એ પૂછ્યું લગ્નને કેટલા વર્ષ વીત્યા? રિધ્ધિ એ જવાબ આપ્યો ચાળીસ વર્ષ આ જવાબ સાંભળીને કોર્ટમાં હાજર બધાં અવાચક બનીને એકબીજાને જોવા લાગ્યા અને ગણગણવા લાગ્યા હતા, ત્યારે ફરી એક વખત વકીલ એ પૂછ્યું આટલા વર્ષ વીત્યા પછી divorce કેમ? અને રિધ્ધિ એ ફરી કહ્યું divorce નહી છૂટાછેડા . ત્યારે મનમાં એક પ્રશ્ન ઉદભવ્યો રિધ્ધિ divorce કે છૂટાછેડા બોલે થવાનુ તો અલગ જ ને ત્યારે રિધ્ધિ એ જ જવાબ આપ્યો divorce માં લેણ દેણ થશે અને છૂટાછેડા માં કંઈ પણ લેણ દેણ નહી માત્ર ને માત્ર છુટકારો જે આટલા વર્ષ સુધીનો સમય પસાર થયો એ સમય માંથી આઝાદી, શબ્દો વડે થતો આત્મસન્માન પર ઘા અને એ ઘાવ ને ઋજવા ન દેવા એ અસહ્ય દુર્ગંધ મારતા સંબંધ માંથી મેળવતો છૂટકારો એટલે છૂટાછેડા.

શું આવો દુર્ગંધ મારતો સંબંધ ને પુરુષ કેવી રીતે હેન્ડલ કરે?
©️ હર્ષા દલવાડી તનુ
જામનગર

Read More

પ્યાસ બુઝાવે એ સરોવર કયાંથી લાવું?
પાણી એમાં વરસાદનું ભરી ક્યાંથી લાવું?

પ્રતિબિંબ દેખાય એ માટે તાપ લાગે કે,
અરીસા જેવી પારદર્શકતા કયાંથી લાવું?

સાંભળું છું હું જીંદગીમાં ઉપયોગી બને તે,
કટુ વચનો સાંભળી મનની ધીરજ કયાંથી લાવું?

આક્રોશ ફેલાયો મનનો, કર્યો કબજો જમાવ્યો,
એવી માન્યતા ને કારણે શતિનું વચન કયાંથી લાવું?

દૂર રહેવું એ ભલાઈ છે ' તનુ ' એ વાત સાચી માની,
નજીકમાં આવેલા સંબધોમાં માપતોલ કયાંથી લાવું?

©️ હર્ષા દલવાડી ' તનુ '
જામનગર

Read More

જય શ્રી કૃષ્ણ 🙏
આજ એક વાત કહેવી છે. લખવા બેસું તો શબ્દો ની અને મગજ વચ્ચે ગડમથલ ચાલું થવા લાગે છે. પરંતું આ બન્ને ની વચ્ચે મન પીસાઈ અને બધું જમા થઈ રહ્યું છે, તેથી આજ મનથી નક્કી કરી લીધું છે કે શબ્દો અને મગજની ગડમથલ સમી જશે જૉ મનનું ધાર્યું કામ કરું તો.

વાત જાણે એમ છે કે, દિવાળીના દિવસોમાં દિવ્યભાસ્કર પર તહેવાર માતા પિતા સાથે ઉજવીએ એ પરથી વૃદ્ધાશ્રમની મુલાકાતો કરી એ ટીમ એ ઘણું બધું લખ્યું હતું, સમજીએ કે એક મહત્વપૂર્ણ નિબંધ. એ આશ્રમમાં રહેતા વૃધ્ધો એમના પારિવારિક કારણો ને કારણે ત્યાં હતાં, છતાંય મમત્વ એમની *કાબિલ, સો called સાક્ષર સંતાન માટે અનહદ* અને એ જ દિવસે હું મારા પપ્પા અને મમ્મી સાથે વાત કરી રહ્યા હતા કે શું સમજવું, તયારે જ પપ્પા એ વાત કરી કે અહી એક વૃદ્ધાશ્રમ જેમાં અમુક ચાર પાચ વૃદ્ધ વ્યક્તિઓને વૃદ્ધાશ્રમની બસમાં લાવવામાં આવે અને હાથ માં એક સ્ટીલ નો ડબ્બો હોય અને એ લોકોને થોડા થોડા અંતરે અલગ અલગ ઊભા રાખવામાં આવે અને જે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હોય એ જરૂર મુજબ એ ડબ્બામાં દાન કરે. આ વાત સાંભળી હું સાવ અવાચક બની ગઈ અને ત્યારે મમ્મી એ કહ્યું શું કરે એ લોકો, અને પપ્પા એ કહ્યું કે આ રીતે ભીખ માગવા કરતા એ લોકોએ પોતાના ઘરમાં રહેવું સારું,
આ વાત પછી એક વિડીયો જોયો જેમાં એક મોટીવેશનલ સ્પીકર કહી રહ્યા છે કે આશ્રમમાં હમેશાં સંતાન જ નથી મૂકતા પણ અમુક માં બાપ એ લખણ ખોટા હોય છે કે એમને શાંતિ પચતી નથી અને આશ્રમ ભેગા થાય છે.


આ બધા વિચારો વાંચી, સાંભળી મને એક જ વાત ઉગી નીકળે છે કે, જો સંતાન માટે માં બાપ બોજ બની જાય છે તો એ સંતાન એ એનાં માં બાપ પાસે ભવિષ્યની કોઈ અપેક્ષાઓ ન રાખવી જોઈએ. વહુ આવે પછી જ આશ્રમના દરવાજા ખૂલે છે અથવા તો ઘરનો એક ખૂણો જ્યાં માત્ર ને માત્ર એકાંત કાળુ ડીબાંગ, આ શા માટે? કારણકે દીકરા એ જ માં બાપ ની દરકાર નથી કરી હોતી અને એ જોઈ પત્નીને વૈદે કીધું ને દવા મળી આ મોટું કારણ છે.
માં બાપ જો લખણ ખોટા હોય તો એ માં બાપ એ સંતાનને જન્મ પછી એક ચોક્કસ ઉમર પછી સીધું કહું તો ૧૮ વર્ષ જ સાચવવા, ભણાવવા અને પછી કહે કે હવે તમે તમારી સંપત્તિ વસાવો, ઘર બનાવો, લગ્ન કરો ટૂંકમાં તમારી પોતાની જાતે જે કરવું હોય કરો, જો આ શબ્દો દરેક માતા પિતા પોતાના સંતાન માટે કહે તો? દીકરો કે દીકરી જેમ સ્વતંત્રતા જોઈએ એમ આ સ્વતંત્રતા માગ્યા વગર મળે તો? દરેક ને માં બાપ ની કદર થવા લાગે.
માં બાપ ને હુ તો એક જ વાત કહીશ તમારી સ્વતંત્રતા ક્યારેય સંતાનને ન આપો.
વૃદ્ધાશ્રમ કરતાં પોતાના જીવનમાં પોતાના માટે જીવવાનું પસંદ કરો, મિલકત વસાવવા કરતાં ખર્ચ થાય એટલું જ કમાવો.
બાકી તો ભગવાન પણ કર્મ ને પ્રાધાન્ય આપે છે.
મારી કોઈ વાત ખરાબ લાગી હોય તો ક્ષમા કરશો 🙏

હર્ષા દલવાડી ' તનુ '
જામનગર

Read More

Losing proves to be the greatest reward for winning.
Harsha Dalwadi Tanu

-હર્ષા દલવાડી તનુ

મા.ફિ.
*વફાદારી*

*સાનિયા એ આજ ફરી એકવાર એની ડાયરી કાઢી અને લખ્યું, ૧૨૩વખત કરી વફાદારી પણ હું વફાદાર નથી કેમ?*

©️ હર્ષા દલવાડી તનુ
જામનગર

-હર્ષા દલવાડી તનુ

Read More

મારા વિચાર

દિવાળી એ સૌથી વધુ મહત્વનો તહેવાર, દરેક ના જીવનમાં ખુશહાલી, પ્રસન્નતા લાવતો નિમિત્ત પરંતુ આ ખુશહાલી, પ્રસન્નતા દરેકને નથી પ્રાપ્ત થતાં. દરેકને પોતાના જીવનમાં કંઈ ને કંઈ ખૂટે છે અને એ રંજ માં પોતાનું સાથે સાથે બીજાં લોકોનું નુકશાન કરે છે. હમણાં સોશિયલ મીડિયામાં ઘણા વિડિયો વાયરલ થયા છે. દિવાળી ની ઉજવણીમાં ફટાકડા ફોડીને ધૂમાડો થાય છે અને પ્રદૂષણ વધે છે, ગરીબ બાળકો આ ઉજવણી જોઈ વલખતા હોય છે, અને ઘણા મીઠાઈ, કપડાં, થોડા ફટાકડા ગરીબ બાળકો ને આપી એને એક ક્ષણ માટે ખુશી આપે છે. બધા પોતાના વિચારો મુજબ કઈક ને કઈક નવું કરવાની કોશિશ કરતા હોય છે, પરંતુ હું મારા વિચાર કહું તો, એ આપેલી ગિફ્ટ એ બાળકો પાસે ક્યા સુધી અને કેટલો સમય સુધી ટકશે? મીઠાઈ એ બાળક એકલું નહી ખાય એનાં ઘરનાં સભ્યો સાથે ખાશેઅને જો ઘરમાં વધુ તકલીફ હોય તો કોઈ દુકાને જઈ રોકડા કરશે, એમજ કપડાં એ પહેરશે અથવા રોકડા રૂપિયા એવું જ ફટાકડા માં થશે અને એ રૂપિયા, કે મીઠાઈ, કપડાં, ફટાકડા ક્યા સુધી રહેશે? પણ એક વસ્તુ છે જે એ બાળકો સાથે જીવનભર રહેશે અને એ છે શિક્ષણ. શિક્ષણ શા માટે? એ બાળકો માં કોઈ એક પણ શિક્ષણ મળશે તો એ શિક્ષણ નો દીવો એનાં જીવનનો અંધકાર તો દૂર કરશે પરંતુ એ જ્યોત રૂપી દીવાઓ બીજાં ઘણાં લોકો ના જીવનનો અંધકાર દૂર કરશે. બની શકે તો શિક્ષણ આપવા પ્રયાસ કરવો જોઈએ.

હર્ષા દલવાડી તનુ
જામનગર

Read More