Quotes by djogarajiya v in Bitesapp read free

djogarajiya v

djogarajiya v

@djogarajiyav112022


પ્રેમ એટલે તું અને હું...
પ્રેમ એટલે તું થી હું અને હું થી આપણે વચ્ચે નો સમય..
પ્રેમ એટલે પરોઢ નું પહેલું કિરણ..અને શમણાંની
ઉગેલી સવાર..
પ્રેમ એટલે સંધ્યાનું સોનેરી સોણલું..અને અમાસે ઉગેલો પૂનમનો ચાંદ...
પ્રેમ એટલે વિના વાદળનો વરસાદ..અને વસંતની મ્હોરતી પહેલી કુંપણ
પ્રેમ એટલે વિના સંવાદ સાંભળી લેવાની કળા..
અને હઝારો માઈલ દૂર બેઠેલી વ્યક્તિ ને સ્પર્શવાનો અહેસાસ...
પ્રેમ એટલે હળ હળ વહેતું પવિત્ર ઝરણું..તેમાં ગંદકીને કોઈ સ્થાન જ નાં હોય....
પ્રેમ એટલે નામ તારું લેતાં દિલ આખું લાગણીઓ થી છલકે ..અને દિલ આછું આછું સુવાસથી મ્હેકે
પ્રેમ એટલે ખુદાની કરેલી બંદગી અને ઈબાદત..

Read More

કાયમી આવા નકારાત્મક વિચારો કરવાથી આપણા મગજ ને નશો થઈ જશે, જેથી આપણા સાથી મીત્રો-સ્નેહીજનો આપણાથી નફરત કરીને દુર થવા લાગશે

આપણા જીવન દરમિયાન કયારેય પણ કોઈ ખરાબ વિચાર આવે તો સમજી લેવુ જોઈએ કે તે આપણી કોઈ નીસ્ફળતા થવાની સંભાવના છે. જો કોઈ ખરાબ કે સારો વિચાર આવે તો તુરંતજ આપણા વડીલો, સબંધી, માતા-પિતા, ગુરૂ જી ને તે વિચાર બાબતે રજુ કરવુ જોઈએ,જો કોઈ વિચાર આપણે આપણે આપણા મનમો દબાવીને છુપાવેલો રાખશો તો તેનાથી કોઈ સફળાતા પ્રાપ્ત થશે નહી, આપણા મન મો આવેલો વિચાર દબાવેલો રાખશો તો તેનાથી આપણી માનસીક તબીયત પર અસર વર્તાશે જેથી આપણા ભવિસ્યને નુકશાન થવાની સંભાવના રહેશે.

માણસ હિંમત હારવાનું કારણ તેની નજરની એક મર્યાદા છે. વધુ માં વધુ એ ક્ષિતિજ સુધી જોઈ શકે છે એટલા વિસ્તારમાં જો એને કશુંજ ના દેખાય તો એ નિરાશ થઈ જાય છે, પણ જો એ થોડું વધુ ચાલે અને ક્ષિતિજની પેલે પાર એને કંઈક એવુ દેખાય છે જેનાથી તેના મનમાં આશા જાગે છે. માટે માણસે ગમે તેવા વિપરીત સંજોગોમાં ચાલ્યા જ કરવું જોઈએ.

Read More