Quotes by Dhaval in Bitesapp read free

Dhaval

Dhaval

@dhaval5288


*“ તમારી આવડત તમને ઉચ્ચ સ્થાન પર મૂકે છે....*
પણ
*તમારી મહેનત અને તમારો સ્વાભાવ તમને ઉચ્ચ સ્થાને ટકાવી રાખે છે..!!!*

Read More

અજાણ્યું કોણ મુજથી છે ? બધાંની જાણ રાખું છું ,
ખુશીની સાથ હું કાયમ વ્યથાની જાણ રાખું છું !

ન સરનામું મને મસ્જિદ કે મંદિર તણું આપો ,
વસે છે કંઈ જગા ? ઈશ્વર - ખુદાની જાણ રાખું છું !

' મને દરકાર કોઈની નથી ! ' એ વાત ખોટી છે ,
સગા તો ઠીક હું તો પારકાની જાણ રાખું છું !

હશે મુજ પ્યાસને આભાર તારો માનવો બાકી ,
નહીંતર ક્યાં કદી, રણ - ઝાંઝવાની જાણ રાખું છું ?

કે બદલાતો યુગોથી છે જમાનો તો પળેપળ પણ ,
ન બદલે લેશ, મુજ શ્રદ્ધા - દુઆની જાણ રાખું છું !

જીવન - ઘટમાળ એક જ સરખી કોઈની રહેતી ક્યાં ?
ન હું એથી દશા કે દૂર્દશાની જાણ રાખું છું !

' સિકંદર ' રૂપ એનું દિવ્ય જાણે નૂર હો કો' સ્નિગ્ધ ,
શશીની કે સુમનની ઉપમાની જાણ રાખું છું !

Read More

?શિક્ષકે એકવાર *એક ખીલ્લી* પાણીમાં નાખી..
તો ખીલીનું શું થયું..??
તે ખીલી ડૂબી ગઈ

પછી બીજીવાર શિક્ષકે *લાકડું* નાખ્યું તો શું થયું.. ??
તે લાકડું તરવા લાગ્યું...

જોનારા બધાએ ઉત્તર આપ્યો કે આ તો કોમન છે... આમા નવું કે ચમત્કાર જેવું શું થયું..??

ત્યારે શિક્ષકે ડૂબી ગયેલી *ખીલીને લાકડામાં હથોડા વડે જોડી દીધી..*

પછી એ લાકડું પાણીમાં નાખ્યું..તો *લાકડા સાથે ખીલી પણ તરવા લાગી...*

શિક્ષકે બધાને સમજાવતાં કહ્યું કે આ સંસાર સાગરમાં દરેક વ્યક્તિ સંપૂર્ણ નથી હોતો પરંતુ જો પોતાના સમાજ અને કુટુંબ સાથે જોડાઈ જઈએ.. તો આપણે તરી જઈએ...

? કોઈપણ રીતે, કોઈપણ સંજોગોમાં દરેક વ્યક્તિએ પોતાના સમાજ અને કુટુંબના શુભ કાર્યો સાથે જોડાયેલા રહેવું...

*આપણે સહુ ૧ ખીલ્લી જ છીએ*
*કુટુંબ* રૂપી *લાકડા* માં ✊? જોડાયેલા રહો તો ડૂબવાની ચિંતા નહી રહે...

Read More

*ચારિત્ર્યની વાત*

હોળીનો તહેવાર હતો.જેતપુરના રાજદરબારમાં રંગરોગાનની છોળો ઉડતી હતી.દરબાર એભલવાળા હોળી રમીને ઉત્સાહથી ઉછળતા રાણીવાસમાં આવ્યા.

રાણીવાસમાં મહારાણી મીનળદેવી પલંગ પર બેઠા-બેઠા ઘોડિયામાં પોઢેલા પુત્ર ચાંપરાજ વાળાને હિંચકાવી રહ્યાં હતાં.દરબાર એભલ આજ ઉલ્લાસમાં હતાં,તે રાણી પાસે પલંગ પર બેઠા અને હસતાં-હસતાં ઉત્સવના ઉમંગમાં રાણીના શરીરને માત્ર જરા સ્પર્શ કરી અડપલું કર્યું.

મીનલદે બોલ્યાં - " હા દરબાર ! ચાંપરાજ જુએ છે "

એભલે રાણીનું વેણ હસી કાઢ્યું - " રાણી ! ચાંપરાજ છ મહિનાનું બાળક છે.એ શું સમજવાનો હતો ? "

ત્યાં તો ચાંપરાજે ઘોડિયામાં રહેલું બાળોતીયું ( વસ્ર ) માથે ઓઢી લીધું અને પડખું ફરી ગયો.

દરબાર તો પછી ચાલ્યાં ગયાં પણ મીનલદેવીને હવે જીવવું ઝેર થયું,પોતાની મર્યાદા જતી રહી એવું લાગ્યું અને એ વખતે જ ભારતની એ જોગમાયાએ પોતાની જીભ કરડી ને પોતાના પ્રાણ ત્યજી દીધાં !!

શું મર્યાદા ! વાહ ! આ દેવીને મુલવવાં માટે શબ્દ ક્યાંથી લાવવાં ! આજે જ્યારે ભારતની જે સ્ત્રીઓ ખુલ્લેઆમ પોતાની ઇજ્જતની હરાજી કરી રહી છે ત્યારે આ ઘટના કેટલો મહાન ઉપદેશ આપે છે !

એક વાત કહેવાની ગુસ્તાખી કે - ભારતના સંવિધાનમાં ભલે ગમે તેટલાં ટુંકાં કે મનફાવે તેવા વસ્ત્રો પહેરવાની પરવાનગી હોય પણ એ બધું કરતાં પહેલાં એકવાર વિચાર કરી જોજો !

પશ્વિમી સંસ્કૃતિ અપનાવીને તમે આપણી મહાન નારીઓએ આપેલાં બલિદાનને ભુલી રહ્યાં છો તમે એ જોગમાયાઓનો અનાદર કરી રહ્યાં છો પોતાની અમુલ્ય વિરાસત,તમારા ભવ્ય ધર્મનો એકવાર વિચાર કરજો આ સતીઓના બલિદાનોને નિરર્થક ના જવા દેતા તમે એના સંતાન છો.

મીનલદેવી અમર થયાં છે પોતાની મર્યાદા ખાતર બલિદાન આપીને.એની કુખે પછી દુશ્મનોના મસ્તક વાઢતાં ચાંપરાજ વાળા જેવા નરવાહન જ જન્મે !

એભલ ગયો નિજ ઓરડે, ત્રીય ઉપહાસ્ય જ કર્યુ

પોઢેલ ચાંપો પારણે, વસ્ત્ર લઈ મુખ પર ધર્યુ

તે દી' જીભ કરડી જોગમાયા, સિધાવી સ્વર્ગવાસમાં

અમ દેશની એ આર્યરમણી અમર છે ઇતિહાસમાં

શત શત નમન જય માતાજી

Read More