Quotes by Ashutosh Vyas in Bitesapp read free

Ashutosh Vyas

Ashutosh Vyas

@ashutosh08


जिन्दगी तेरी भी, अजब परिभाषा है..सँवर गई तो जन्नत, नहीं तो सिर्फ तमाशा है...

 ખાલી જગ્યા પૂરો 

ગાડા નીચે ચાલતું કૂતરું એમ સમજે કે ગાડું હું ચલાવું છું, તો એને ....... કહેવાય.



જીવન એટલું પણ સહેલું નથી સાહેબ, અહીં સમુદ્રને પણ કિનારે પહોંચતા ફીણ આવી જાય છે...

આસિફા.. નિર્ભયા કાંડ નું પુનરાવર્તન શા માટે ?

 ૨૦૧૨ નો નિર્ભયા કાંડ હોય કે પછી ૨૦૧૮ નો આસિફા કાંડ હોય ઉપરોક્ત પ્રશ્ન ક્યાંક ને ક્યાંક પુરા સમાજ અને પુરા દેશ પર પ્રશ્નાર્થચિન્હ ઉભો કરે છે. 
  ક્યાંક ને ક્યાંક દેશની ન્યાય પ્રણાલી અને સરકારના દ્રષ્ટિકોણ પર પણ સવાલ ઉભો થાય છે તે પછી ભાજપ હોય કે કોંગ્રેસ તે પછી ની વાત છે. આપણે બધા જાણીએ છીએ કે ભુલ માંથી શીખ લેવી જરૂરી છે; નિર્ભયા કાંડ બાદ જો એક કડક કાયદો બન્યો હોત કે ફાંસીની સજાથી નીચે કોઈ સજા મંજુર નહિ તો ક્યાંક આવું પુનરાવર્તન ન થયું હોત. 
  બીજા દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો ક્યાંક ને ક્યાંક હું અને આપણે બધાં સમાજ ના તમામ જવાબદાર નાગરિકો પણ મહદ અંશે જવાબદાર છીએ જ્યારે ક્યારે પણ આવો કોઈ કાંડ થાય ત્યારે જ આપણે ન્યાયની માંગણી કરતા રસ્તાઓ ઉપર નીકળીએ છીયે ત્યાં સુધી કોઈ જ ન્યાયની જરૂર હોતી નથી ?
   અંતમાં હું માત્ર એ જ કેહવા માંગીશ કે જો એક જ રાતમાં નોટબંધી શક્ય હોય તો ૨૦૧૪ થી શરૂ કરી ૨૦૧૮ સુધીમાં એક કડક કાયદો તે તમામની વિરુદ્ધ એક ઉદાહરણ બનીને જો સામે આવ્યો હોત તો કદાચ વધુ એક નિર્ભયા કાંડનું પુનરાવર્તન ન થયું હોત.
   ઉપરોક્ત બાબત પર શાસક પક્ષ હોય કે વિરોધ પક્ષ હોય કોઈ પણ પક્ષે એક બીજા પર જવાબદારી ઢોળી પોતે ગર્વ અનુભવવાની બિલકુલ પણ જરૂર નથી પરંતુ જવાબદારી સ્વિકારી ઉપરોક્ત પ્રશ્ન નહિ પરંતુ લાગેલ કલંક ને દૂર કરવા કડક કાયદો બનાવી અને તેનું કડક રીતે અમલીકરણ જરૂરી છે.

Read More

થોડા દિવસો પહેલા NPA નું મારાં એક પ્રોજેકટ માટે અધ્યયન કરતાં મને ઘણો આશ્ચર્ય થયો અને અચાનક જ મારા મુખ પર એક સ્મિત છલકાઈ આવ્યું; આ સ્મિતની પાછળ ૯-૧૦ મહિના જૂનો અનુભવ  સંકળાયેલ છે. તે અનુભવ આપની સમક્ષ રજુ કરતા પહેલા કેટલાક તથ્યો ને અંકિત કરવા માંગીશ.
૧. સમગ્ર વિશ્વમાં ભારતનો સૌથી વધુ NPA ધરાવતા દેશો માં ૫મો ક્રમ છે.
૨. ભારતનું total NPA 8,29,338cr છે.
3. ભારત ની સૌથી મોટી બેંક તેમજ સમગ્ર એશિયાની સૌથી મોટી બેંક SBI 24.11% 1,88,068cr નાં આંકડા સાથે પ્રથમ ક્રમાંક પર છે.
૪. SBI, PNB, BOI, IDBI, BOB આ તમામ બેંક સૌથી વધુ NPA ધરાવતી બેંકના લિસ્ટની પ્રથમ પાંચ બેંક છે.
૫. માત્ર ઉપરોક્ત ૫ બેંકનું NPA જ ટોટલ NPAનું ૪૭.૪% હિસ્સો ધરાવે છે જેની રકમ 3,93,154cr છે.
(Source: RBI) (Data:June, 2017)
ઉપરોક્ત તથ્યો બાદ હવે હું મારો રમૂજ અનુભવ રજૂ કરવા જઈ રહ્યો છું.
જે રીતે દરેક યુવાનનું એક સ્વપ્ન હોય કે એક ધ્યેય હોય સારું શિક્ષણ મેળવવું અને સારી શાળા કે કોલેજમાં અભ્યાસ કરવો તે મુજબ જ મારો પણ આવો જ કંઈક ધ્યેય હતો. તો સ્નાતક કક્ષાની ઉપાધિ (graduation) મેળવી અનુસ્નાતક કક્ષાની ઉપાધિ (post graduation, Masters) માટે નું શિક્ષણ મેળવવા અંદાજિત ખર્ચ ૨,૦૦,૦૦૦-૨,૫૦,૦૦૦ની શૈક્ષણિક ધિરાણ (educational loan) માટે મેં ઘણા હાથ પગ માર્યા જેથી કરી ને શૈક્ષણિક ધિરાણ મળે તો હું સરળતા પૂર્વક આગળ અભ્યાસ કરી શકું પરંતુ જ્યારે જુદી-જુદી બેંક માં મેનેજર સાથે મળી ને વાત કરેલ ત્યારે ૨-૪ ઘસાયેલા સવાલો પૂછી તે વસ્તુ ન હોવાના કારણે શૈક્ષણિક ધિરાણ ન મળે તેમ નિર્ણય નીકળ્યો અને અંતે નિરાશા જ હાથ લાગી પરંતુ, કઈક સમજવા પણ મળ્યું તેમનો પ્રથમ પ્રશ્ન પિતા શુ કરે છે? વ્યવસાય કે કોઈ પગારદાર વ્યક્તિ છે? જો પગારદાર હોત કે વ્યવસાય કરતા હોય તો શું હું માત્ર ૨,૦૦,૦૦૦-૨,૫૦,૦૦૦ ની રકમ માટે બેંક પાસે લૉન માંગવા ગયો હોત? બીજો પ્રશ્ન કોઈ મિલકત છે? તો વ્યક્તિગત ધિરાણ નું પ્રાવધાન કરી આપીએ. મિલકતમાં તો માત્ર સ્નાતક કક્ષાનું પ્રમાણપત્ર હતું એ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નું એટલે તે પણ શક્ય નોહતું કે તે પ્રમાણપત્ર પર મને ધિરાણ મળે

Read More

.....'એવુ નથી કે કાયમ કુતરા ઓ જ વફાદાર નીકળે, સમય ખરાબ હોય તો તમારા વફાદાર પણ કુતરા નિકળે'.....