અંતરિક્ષની આરપાર એપિસોડ - 8
ભારતી બહેન અને દીપકભાઈ પોતાના વિશાળ બંગલામાં ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. અચાનક સામેથી બંગલાના પગથીયા ચડીને એક સુંદર યુવતી જેની ઉંમર કદાચ 22 23 વર્ષ જેટલી હશે. તે દાખલ થાય છે. મમ્મી હું આવી ગઈ અવાજ રણક્યો દીપકભાઈએ છાપામાંથી નજર ઉઠાવી જોયું તો તેમની લાડલી દીકરી તો સ્તુતિ હતી આવી ગઈ બેટા? ભારતી બહેન બોલ્યા...હા મમ્મી આવી ગઈ સ્તુતિ બોલી..કેવો રહ્યો આજનો દિવસ તારો કોલેજમાં? દીપકભાઈ બોલ્યા...બસ પપ્પા ખુબ જ સારો ગયો. તારી ફાઈનલ એક્ઝામ ક્યારે છે? ભારતીબેન બોલ્યા...એપ્રિલ મહિનામાં છે મમ્મી સ્તુતિ એ જવાબ આપ્યો. કેવી ચાલે છે તેની તૈયારી? દીપકભાઈ બોલ્યા..ખુબ જ સારી ચાલે છે પપ્પા એ પછી મે મહિનામાં ઇન્ટર્ન શિપ છે. સ્તુતિ એન્જિનિયરિંગ છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. દેખાવમાં ખૂબ જ આકર્ષક અને સોહામણી હતી. ભર્તુહરી રચિત ત્રણ શતક નીતિ શતક, શૃંગાર શતક અને વૈરાગ્ય શતક પૈકી શૃંગાર શતકમાં સ્ત્રીની ત્રણ અવસ્થાઓ દર્શાવવામાં આવી છે. મુગ્ધા, નવોઢા અને પ્રૌઢા તેમાં જે મુગ્ધા અવસ્થા છે. તેમાં સ્તુતિ શારીરિક ઘાટ, બોલ ચાલ, તથા અન્ય લક્ષણો દ્વારા બંધબેસતી હતી. દીપકભાઈ પટેલ જાણીતા ઉદ્યોગપતિ ખૂબ જ પ્રસિદ્ધિ પામેલા વ્યક્તિ. તેમને સંતાનમાં સ્તુતિ એક જ દીકરી એકની એક દીકરી હોવાથી ખૂબ જ લાડકોડમાં ઉછરેલી હતી છતાં પણ ખૂબ જ સંસ્કારી અને ડાહી પિતાની અમાપ સંપત્તિનો તેને લેશ માત્ર ઘમંડ ન હતો.તેણે પોતાનો અભ્યાસ પણ સરકારી શાળાને કોલેજમાંથી કર્યો હતો. તે ખોટા ખર્ચા કરવામાં માનતી ન હતી. અમાપ સંપત્તિની એકની એક વારસ હોવા છતાં તે તદ્દન સરળ અને સાદુ જીવન જીવતી હતી. તેના માટે સારા સારા ઘરમાંથી યુવાનોની વાત આવતી હતી. પણ કંઈ ને કંઈ કારણોસર વાત ચાલે છેક સગાઈની તારીખ નક્કી થાય પણ પછી વાત રદ થઇ જતી. છેલ્લાં 1 વર્ષથી આ ઘટનાક્રમ ચાલતો માતા - પિતા ચિંતિત રહેતા. એક દિવસ તેમના મિત્ર અશોકભાઈ શાહ તેમના ઘરે આવ્યા તેમણે દીપકભાઈને પૂછ્યું કેમ કંઈ ચિંતા જેવી બાબત છે? હા ભાઈ તમે તો જાણો જ છો કે સ્તુતિ હવે મોટી થઇ ગઇ છે. તેના માટે સારા સારા છોકરાઓની વાત આવે પણ કોણ જાણે વાત છેક સુધી પહોંચે ને પછી બધું બગડી જાય છે સમજાતું નથી શું થાય છે ? દીપકભાઈ બોલ્યા...જો તમને એક વાત કહું? અશોકભાઈ બોલ્યા. હા બોલોને ? તમે આ બાબતે અમને મદદ કરી શકો તો ચોક્કસ કરશો મને આનંદ થશે. દીપકભાઈ બોલ્યા...અશોકભાઈ - મારા પાડોશમાં એક વિદ્વાન બ્રાહ્મણ રહે છે. લોકો તે દાદાના બહુ વખાણ કરે છે કે તેમનું કામ ઘણું સારું છે. જો તમારે ત્યાં જવું હોય તો હું વાત કરું તેમને દીપકભાઈ - હા ચોક્કસ અમારે તો દીકરી સુખી રહે એ જ જોઈએ. અશોકભાઈ- ઠીક છે તો હું પણ આવીશ તમારી સાથે. દીપકભાઈ - ઠીક છે. અશોકભાઈ સાંજે તે બ્રાહ્મણ ના ઘરે જાય છે. જય શ્રી કૃષ્ણ દાદા કેમ છો મજામાં? આવો આવો અશોકભાઈ જય શ્રી કૃષ્ણ મજામાં તમે કેમ છો? અશોકભાઈ - બસ મજામાં હો દાદા.. બોલોને શું સેવા કરું ? અશોકભાઈ- દાદા મારે એક મિત્ર દીપકભાઈ છે તેમની દીકરીની સગાઈ વારંવાર નક્કી થઈ છે અને તૂટી જાય છે તો શું તમે આ બાબતે કોઈ મદદ કરી શકશો ખરા? વિષ્ણુ દાદા - કન્યા અને તેના મમ્મી પપ્પાને કાલે સાંજે મારા ઘરે બોલાવી લો અને તમે પણ સાથે આવશો. અશોકભાઈ - ચોક્કસ દાદા તો હું કાલે જ તેમને બોલાવી લઉં છું. અશોકભાઈ ઘરે જઈ અને દીપકભાઈ ને ફોન કરે છે. બોલોને અશોકભાઈ દીપકભાઈ બોલ્યા..મારા પાડોશી વિષ્ણુ દાદા સાથે વાત થઈ ગઈ છે કાલે સાંજે તમારે મારા ભાભીએ અને સ્તુતિ આવવાનું છે. ઠીક છે આવી જઈશુ દીપકભાઈ બોલ્યા.. દીપકભાઈએ પરિવારને વાત કરી અને ત્રણેય જણા બીજે દિવસે વિષ્ણુ દાદા ના ઘરે અશોકભાઈ સાથે જાય છે. વિષ્ણુ દાદા એ સ્તુતિની કુંડળી ચકાસી તેમણે જણાવ્યું કે કન્યાને ભારે મંગળ છે અને અંગારક યોગ પણ ખરો તેની વિધિ કરાવવી પડશે. વિધિ કરાવ્યા બાદ તમે જે કંઈ પણ કહો તે અમે કરીએ તો તેનાથી ચોક્કસ મારી દીકરીનું લગ્ન જીવન સુખી જશે? ભારતી બહેન બોલ્યા. હા અને કન્યાએ મંગળવાર કરવાના રહેશે અને હું એક યંત્ર તમને બનાવી આપીશ તે યંત્ર જ્યારે છોકરો કન્યા ને જોવા આવે ત્યારે કન્યાએ પોતાની પાસે રાખવું એટલે લગ્નની વાત નક્કી થઈ જશે તેની ખાતરી આપું છું બાકી ઈશ્વર પર શ્રદ્ધા રાખો ઈશ્વર બધાનું સારું કરશે. હું અને તમે કંઈ કરતા નથી જે કરે છે તે ઈશ્વર કરે છે ઈશ્વર બધાનું સારું કરે. ઠીક છે તો દાદા અમે બધા જ વિધાન કરાવી લઈશું અને તે યંત્ર આપ બનાવી આપશો તે પણ હું સ્તુતિ ને કહીશ એટલે તે પોતાની પાસે રાખશે. ભારતીબેન બોલ્યા. તો ઠીક છે હું તમને એ વાતની ખાતરી આપો છો કે પાંચ મંગળવાર કે પૂરા કરે તે પહેલા તેની સગાઈ થઈ જશે અને તેનું સાંસારિક જીવન પણ ખૂબ જ સુખી રહેશે. વિષ્ણુ દાદા ના કહ્યા મુજબ દીપકભાઈએ બ્રાહ્મણો પાસે વિધિ અને જાપ કરાવ્યા સ્તુતિ એ મંગળવાર શરૂ કર્યા અને ખરેખર ત્રીજો જ મંગળવાર આવ્યો અને તેને જોવા માટે ઓમકાર નામનો છોકરો તેના મમ્મી પપ્પા સાથે આવે છે તે સિવિલ એન્જિનિયર હોય છે અને પૈસાથી ખૂબ જ સમૃદ્ધ હોય છે. વાત નક્કી થઈ જાય છે. ખૂબ જ ધામધૂમથી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વેદોક્ત મંત્રોના ઉચ્ચારણ સાથે સ્તુતિ અને ઓમકારના લગ્ન કરવામાં આવે છે. હમણાં થોડા સમય પહેલા સમાચાર મળ્યા કે સ્તુતિ પોતાના સાંસારિક જીવનમાં ખૂબ જ સુખી છે. લગભગ ચાર દસકા પહેલા નાઘેર વિસ્તારમાં બનેલી આ સત્ય ઘટના છે. સ્તુતિ ના માતા પિતા હાજર નથી. તેના સ્વજનો પણ હવે શહેરમાં રહે છે. હાલમાં વિષ્ણુ દાદા પણ હયાત નથી.
આલેખન - જય પંડ્યા
કથાબીજ - શાસ્ત્રી શ્રી પ્રો. હેમેન્દ્રભાઈ પ્રમોદચંદ્ર ત્રિવેદી ( શ્રી સર્વેશ્વર ગણેશ જ્યોતિષ માર્ગદર્શન અને સંશોધન સેવા કેન્દ્ર ઉના) 12 - A શ્રી હરિ તપોવન પાર્ક ગીર ગઢડા રોડ, બાયપાસ પાસે ઉના.