Quotes by Shailesh Joshi in Bitesapp read free

Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified

@shaileshjoshi0106gma
(3m)

પ્રભુ
બધુંજ સારું કરી દે છે,
પરંતુ ક્યારે ?
એ નક્કી નઈ, અને આજ કારણે,
આપણી અધીરાઈ,
આખી બાજી બગાડી દે છે.
- Shailesh Joshi

Read More

જ્યોતિષી જ્યારે કોઈની જન્મકુંડળી જોઈને એના ભવિષ્ય વિશે જે જાણકારી આપે છે, એ પ્રમાણેનું પરિણામ ત્યારે જ મળે કે જ્યારે,
જે તે વ્યક્તિ,
એના સમય, અને સંજોગોને માન આપી, પોતાની ફરજ, અને પોતાની જવાબદારીઓને
પોતાનાથી બનતા યોગ્ય પ્રયત્નો, પુરી નિષ્ઠા અને પ્રામાણિકતા પૂર્વક અદા કરે, બાકી તો એના ભાગ્યમાં લખેલ સુખ અને શાંતિથી પણ એ,
વંચિત રહી જતા હોય છે.

Read More

જેમ આળસુ, બિન અનુભવી, અભિમાની, વધારે પડતા આત્મવિશ્વાસુ, જિદ્દી, અને હંમેશા બીજા પર આધારિત રહેવાવાળા લોકો એમના જીવનમાં જેટલા પાછળ રહી જાય છે, એમજ એ લોકો પણ પાછળ રહી જાય છે, જે લોકોને હંમેશા અન્ય લોકોથી પાછળ રહી જવાનો સતત ડર રહેતો હોય છે.

Read More

જીવન છે યાર
જે નથી ગમતું
એ થયા કરે છે ને ?
ધીરજ રાખ
કેમકે એક દિવસ
તને જે ગમે છે, એવું પણ થશે
ત્યાં સુધી કંઈ પણ થાય, Please
તું તારો વ્યવહાર ના બદલીશ,
કેમકે સમયે સમયે
જેમ તહેવારો આવે છે, એમ
જીવનમાં ખુશીઓ પણ
આવશે,
ફર્ક માત્ર એટલો છે કે,
તહેવારોની તારીખ નક્કી હોય છે,
ખુશીઓની નહીં.

Read More

શું સારું, ને શું ખરાબ ?
શું સાચું, ને શું ખોટું ?
શું જરૂરી, ને શું બિન જરૂરી ?
જ્યાં સુધી આપણે આટલું સમજતા નહીં થઈએ, ત્યાં સુધી
જીવનમાં અવઢવ, આક્રોશ અને અસંતોષ જ જોવા મળશે.
અને શીખી લઈશું, તો દ્રઢતા, શાંતિ અને સંતોષની સાથે-સાથે, આપણામાં ધીરજ અને વિશ્વાસનું પ્રમાણ પણ આપોઆપ વધવા લાગશે.

Read More

"દેખાદેખી" એ સુખી થવાનો સરળમાં સરળ રસ્તો છે.
આ બે પ્રશ્નોમાં છુપાયેલો છે એનો અર્થ
એક- આપણે જે વ્યક્તિ જેવી જિંદગી જીવવા માંગીએ છીએ, શું એ વ્યક્તિની અને એના ઘરની જે આર્થિક સ્થિતિ છે, એટલી મજબૂત આપણી, કે આપણા ઘરની સ્થિતિ છે ?
અને નંબર બે - કે જો એ કોઈ અવળા રસ્તે પૈસા કમાઈને એના મોજશોખ પૂરા કરે છે, તો શું મારે ખાલી મોજશોખ માટે, એવો રસ્તો પકડવો જોઈએ ?

Read More

કોઈપણ કામમાં
પૂર્ણ સંતોષ
ત્યારે જ મળે, કે જ્યારે
આપણે જે કામ કરતા હોઈએ,
જેના માટે કામ કરતા હોઈએ,
એ આપણા કામથી
સંતુષ્ટ હોય.

Read More

આયોજન સફળતા પ્રાપ્ત કરવાનું પહેલું પગથિયું છે, અને આયોજન કર્યાં પછી પણ આપણને ધાર્યું ફળ નથી મળવાનું એની, અને સફળતા ન મળે ત્યાં સુધી
નવા નવા પ્રયત્નો કરવાની તૈયારી રાખવી,
એ પણ એટલું જ અનિવાર્ય છે,
અને જો આપણે આટલું નથી કરી શકતા,
તો પછી આપણે સફળ થવાની આશા
છોડી દેવી જોઈએ.
- Shailesh Joshi

Read More

જ્યારે આપણે કોઈપણ ક્ષેત્રમાં આપણી અંદર પ્રાપ્ત કરેલ કાર્ય કુશળતા પૂરવાર કરવાની શરૂઆત કરીએ, ત્યારે આપણે જે શ્રધ્ધા, નિષ્ઠા અને પ્રભુ પ્રાર્થના સાથે જે તે ક્ષેત્રમાં ઝંપલાવીએ છીએ, અને એમાં જ્યારે આપણને ધાર્યું પરિણામ મળે છે, મતલબ કે આપણે સફળ રહીએ છીએ, ત્યારબાદ જો આપણી આપણા ઉપરની શ્રદ્ધા જો અહમમાં પરિવર્તિત થાય, નિષ્ઠાની માત્રા ઘટવા માંડે, અને પ્રભુ ભક્તિમાં જે દિવસથી ઉણપ કે દેખાડો આવવા લાગે, તો સમજી લેવું કે, આજથી આપણે આપણી કારકિર્દીને લઈને જે નિર્ણયો લઈ રહ્યા છીએ, એ નિર્ણયો આપણને વહેલા કે મોડા, આપણને આપણા બાકી જીવનમાં, અંધકાર કે અફસોસ સિવાય બીજું કશું નહીં આપે.

Read More

પ્રેમ થવો, કે કરવો એ એક વાત છે,
જે ઘણા બધા લોકો કરતાં હોય છે,
ને એ વાત ખાલી સારી છે, બાકી
પ્રેમ રહેવો, ને વધવો
એ અલગ વાત છે, કેમકે
પ્રેમ કરતા રહેવાવાળાની
વાત જ ન્યારી હોય છે.
- Shailesh Joshi

Read More