Quotes by Shailesh Joshi in Bitesapp read free

Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified

@shaileshjoshi0106gma
(1.2m)

કોઈપણ ઝગડો કે વિવાદ
મોટે ભાગે
બે વ્યક્તિઓ વચ્ચે નથી હોતો,
સત્ય અને અસત્ય વચ્ચે હોય છે.
- Shailesh Joshi

જીવનમાં શું કરવું અને શું ના કરવું ? એ સમજવું
અતિ આવશ્યક છે કેમકે આપણે આપણી આસપાસ
જોઈએ છીએ કે ઘણા બધા લોકો કરવા જેવું કે
ન કરવા જેવું ઘણું બધું કરીને પણ
કંઈ ખાસ મેળવી નથી શકતા, અને અમુક લોકોને
માત્ર કંઈ ન કરવા જેવું નહીં કરીને સામેથી ઘણું બધું મળી જતું હોય છે.
- Shailesh Joshi

Read More

જો આપણને ખોટી બહેસ,
ખોટો વિવાદ કે વિખવાદ કરવાનો સમય, આદત કે પછી કોઈ મજબૂરી હોય, તો એનો સીધો, મુખ્ય અને મહત્વનો અર્થ એકજ થાય છે કે,
આપણને આપણા જીવનનું અમુલ્ય અને સાચું ધ્યેય હજી સુધી પ્રાપ્ત થયું નથી, અને જો આપણને ખરેખર આપણા જીવનનું સાચું ધ્યેય પ્રાપ્ત થઈ ગયું છે, તો.....
તો પછી આપણે આપણા જીવનનાં એ ધ્યેયને લઈને એટલા ગંભીર નથી.

Read More

જો યોગ્ય દ્રષ્ટિ રાખીએ તો,
બોલવા સાંભળવા કરતાં
વિશેષ જ્ઞાન
જોઈને પ્રાપ્ત થાય છે
- Shailesh Joshi

"કોઈપણ કામ થવામાં" ક્યારેય
એટલો સમય નથી લાગતો, "જેટલો સમય"
એ કામને શરૂ કરવા માટેનાં "વિચારો કરવામાં લાગે છે"
- Shailesh Joshi

Read More

જીવન એક એવી પરીક્ષા છે, જે અંત સુધી ચાલતી રહે છે, અને એમાં સારા કે ખરાબ, નાના કે મોટા, અંગત કે અજાણ, ક્ષણ ભર કે જીવનભર, જેટલા વ્યક્તિઓ આપણી સાથે જોડાય છે, એ તમામ લોકોને જો ઓળખતા, સમજતા, સાંભળતા, અને પછી એમાંથી, જે છોડવા જેવા લાગે એને છોડતા, અને જે સાચવવા જેવા લાગે, એને સાચવતા જો આપણને આવડે, તો એ તમામ સારા કે ખરાબ લોકો આપણું પરિણામ સુધારવામાં મદદરૂપ થઈ શકતા હોય છે.
- Shailesh Joshi

Read More

અચૂક ઝડપવા જેવી તક
જુઓ આ યુટ્યુબ શોર્ટસ

https://youtube.com/shorts/fGxKs2T4AhE?si=HnsEOgWnnn7wbEqG

ઈચ્છાઓ અધૂરી રહેવાનું મુખ્ય કારણ
જુઓ આ યુટ્યૂબ ગુજરાતી સુવીચાર
https://youtube.com/shorts/wBIy6I2krgE?si=w4ufzmZlcO-Dw3Jc

કોઈપણ સંજોગોમાં દર મહિને કમાણીનાં
15 થી 20 % બચત ના કરી શકતા હોય,
એવા લોકો એમના જીવનમાં ગમે તેવા, ને
ગમે તેટલાં સંકલ્પ લે, કે પછી એમને ગમે તેવા,
ગમે તેટલાં સપનાઓ જુએ ને એના માટે
ગમે તેટલી મહેનત કરે, તો પણ
એમનાં ધાર્યા સમયે, અને
એમણે ધાર્યું હોય એટલું ફળ
પ્રાપ્ત કરી શકતા નથી.
- Shailesh Joshi

Read More

સત્યને વળગી રહેતા, અને
જૂઠથી અળગા થતા ના આવડે
તો બધું નક્કામું.....
પછી એ જ્ઞાન હોય, બળ હોય,
કે પછી ધન હોય.
- Shailesh Joshi

Read More