The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પ્રેમ અને લગ્ન, આ બંનેમાં પ્રયાણ કરતા પહેલા, સો વાર વિચારી લેવું કે, જો તમારા બંનેના સંબંધમાં એકબીજા પ્રત્યે સચ્ચાઈ પવિત્રતા સહાનુભૂતિ સહનશીલતા વિશ્વાસ અને કોઈપણ સંજોગો સામે હાથમાં હાથ રાખીને એની સામે ઝઝૂમવાની તૈયારી ન હોય, તો તમે તમારા, તમારા મા-બાપના સમાજના અને ઈશ્વરના પણ સૌથી મોટા ગુનેગાર છો, અને એની સજા ખૂબ આકરી હોય છે, અને એ સજામાંથી આજ સુધી કોઈ બચી શક્યું નથી. - Shailesh Joshi
"માફી" શબ્દ એવો છે, કે જ્યારે આપણે કોઈ ભૂલ કરીએ, કે પછી અજાણતા જ આપણાથી કોઈ ભૂલ થઈ જાય, ત્યારે જો માફી માંગતાં પહેલાં આપણને આપણા મનમાં એવો વિચાર, કે અહંકાર આવે, કે જો હું માફી માંગીશ, તો મારી છબી બગડશે, તો એ આપણે પોતે ખરેખર બહુ ખોટું વિચારી રહ્યા છીએ, અને જો "અમુક કિસ્સામાં" "અમુકવાર" આપણે ખરેખર નિર્દોષ છીએ, છતાંય જો વારંવાર આપણે માફી માંગી લઈએ છીએ, તો એ આપણે પોતે, ખરેખર આપણા પોતાની સાથે જ, બહુ ખોટું કરી રહ્યા છીએ.
મારે આ જોઈશે ને મારે તે જોઈશ એમાં કશું જ ખોટું નથી, જ્યાં સુધી "જોઈશે" ની પાછળ "જ" ન લાગે. - Shailesh Joshi
આપણને જો કોઈ વ્યક્તિ ખરેખર ગમતું હોય, અને આપણે એ જતાવવામાં ખૂબજ સમય લગાવી દેતા હોઈએ, તો એ આપણી ખામી કહેવાય, પરંતુ જો કોઈ કારણસર, ક્યારેક એને ખોટું લાગી જાય એવું બોલવામાં, આપણે જો જરા પણ સમય ન બગાડતા હોઈએ તો....તો એતો આપણી મોટામાં મોટી મૂર્ખામી કહેવાય. - Shailesh Josh
કોઈપણ વ્યક્તિ માટે, કોઈપણ ક્ષેત્રનું વિશેષ જ્ઞાન હોવું, કે પછી એવું જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા હોવી, એ ખૂબ સારી વાત છે, પછી એમાં પ્રસિધ્ધિ પ્રાપ્ત કરવી, એ તો એનાથી પણ ખૂબ સારી વાત છે, પરંતુ એ જ્ઞાન અને પ્રસિદ્ધિનો ફાયદો આપણી સાથે-સાથે અન્ય એક વ્યક્તિથી લઈને જેટલા બહોળા વર્ગને કરાવી શકીએ, તો.....તો એ વાત ખાલી સારી નહીં, સારામાં સારી પણ નહીં, પરંતુ પછી એ વાત સર્વશ્રેષ્ઠ શ્રેણીમાં આવે છે. - Shailesh Joshi
સંતાનને એના જન્મથી લઈને એ ધંધાસર અને લગ્નગ્રંથિથી જોડાય ત્યાં સુધીની જવાબદારીની સાથે-સાથે ઘરની બાકીની જવાબદારીઓ પૂરી કરવી, અને આર્થિક સધ્ધરતા પણ લાવવાની જવાબદારી દરેક માતા-પિતા એમનાથી બનતા તમામ પ્રકારના પ્રયત્નો સાથે કરતા હોય છે, માટે કોઈપણ સંતાને જિંદગી વિશે, પૈસો વિશે કે પછી ઘર, અને પરિવારની જવાબદારીઓ વિશે, પોતાના લગ્ન, અને વ્યવસાયિક જીવનના ઓછામાં ઓછો પાંચ વર્ષનો જાત અનુભવ ન થાય, ત્યાં સુધી આ બધી બાબતો વિશે, નાતો પોતાના માતા-પિતાને ઊંચા અવાજે સંભળાવવું જોઈએ, અને નાતો વધારે સમજાવવું જોઈએ. - Shailesh Joshi
રોજબરોજની જિંદગીમાં આપણે સૌ, કોઈને કોઈ કારણસર કોઈને કોઈ સ્થળે જવા માટે ઘરેથી નીકળીએ જ છીએ, ને પાછું એ સ્થળ સુધી પહોંચવા માટેનો રસ્તો પાછો લાંબો હોય, કે ટૂંકો હોય, ફોરલેન હોય, કે સીંગલ પટ્ટી હોય કે પછી સાવ ઉબડ ખાબડ ભર્યો કાચો રસ્તો હોય, એનાથી પણ આગળ, પાછું એ સ્થળ નજીક હોય કે દૂર, અરે એ રસ્તો આપણે જોયો હોય તો ઠીક, બાકી ના જોયો હોય, તો પૂછતાં પૂછતાં પણ, આપણે ત્યાં પહોંચી જઈએ છીએ, તો......તો આવું બધું આપણે આપણા જીવનની નક્કી કરેલી મંઝિલ સુધી પહોંચવા માટે, કેમ નથી કરતા ? કે પછી કેમ નથી કરી શકતા ? - Shailesh Joshi
માત્ર પ્રકાશ જોઈને અંજાઈ જતા લોકો એકના એકદિવસ અંધકાર તરફ ખેંચાઈ જતાં હોય છે, એનાથી બચવા માટેનો ઉપાય એજ કે, જે તે પ્રકાશ દેખાડતા પાત્રના પાત્રમાં ઘી કેટલી માત્રામાં છે ? સૌથી પહેલાં એ ચકાસી લેવું જોઈએ, મતલબ કે એની અસલ યોગ્યતા અને સક્ષમતા એની વાતો સાથે મેળ ખાય છે કે નહીં ? - Shailesh Joshi
કોઈપણ વ્યક્તિની આંખે વિશ્વાસની પટ્ટી બાંધી એને અંધારામાં તો રાખી શકાય છે, પરંતુ જ્યારે એ વ્યક્તિ સાથે વિશ્વાસઘાત થાય છે ત્યારે આપોઆપ એ પટ્ટીની સાથે-સાથે એની આંખો પણ ઊઘડી જતી હોય છે, ને પછી આજ સુધી એ વ્યક્તિ વિશ્વાસના જે અંધારામાં હતો, એનાથી અનેક ઘણો અંધકાર.... વિશ્વાસઘાત કરનારની જીંદગીમાં વ્યાપી જાય છે. અને આ બીજા કોઈનો નહીં, કુદરતનો નિયમ છે, ને એનાથી બચવું અશક્ય છે. - Shailesh Joshi
આપણો દેહ એ ઈશ્વરની દેન છે, એને તાજો, કે ઉજળો રાખવા માટે, એને નવા વસ્ત્રો ને અલંકાર પહેરાવવા, કે ઓઢાડવા માટે, કે પછી હરવા ફરવા કે એને મનોરંજન પૂરું પાડવા માટે, જે પૈસાની જરૂર પડે, અને જો એ પૈસો પ્રામાણિકતા સાથે કરેલી મહેનત, અને પરસેવાની કમાણીનો નહીં હોય, તો એ ઈશ્વર સાથે કરેલ વિશ્વાસઘાત જ કહેવાય, એનાથી વિશેષ બીજું કંઈ નહીં. - Shailesh Joshi
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Nichetech.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser