The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જે લોકો ખરેખર પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માંગતા હોય એ લોકો, રોજ સાંજે પડે, "બીજી કોઈ નહીં" પરંતુ "કાલની સવાર જલ્દી પડે" એની ચિંતામાં હોય છે. - Shailesh Joshi
🤫 જીવનમાં ક્યારેય એવી ભૂલ ના કરવી કે, સમય જતાં..... "પછતાવાનો વારો આપણો આવે" ને "દુઃખી થવાનો વારો આપણા આત્માનો" 🤔 - Shailesh Joshi
"હું તને પ્રેમ કરું છું" આ વાક્ય અપૂર્ણ કે પછી ભ્રમિત કરાવે એવું છે, કમસેકમ પ્રેમની બાબતમાં તો ખરું. કેમકે આ વાક્ય, સંભળાવવા માટે છેજ નહીં, પરંતુ એતો "હું એને પ્રેમ કરું છું" એ જાતે અનુભવવા માટે છે. - Shailesh Joshi
સારો સમય સ્વમાની હોય છે જ્યારે ખરાબ સમય હઠીલો માટે જો આપણે આપણા સારા સમયની યોગ્ય કદર નહીં કરીએ, અને ખરાબ સમયને ધ્યાનમાં લીધા વગર એને ખાલી કોષતા રહીશું, તો સારા સમયને જતા વાર નહીં લાગે, ને કદાચ એ ફરી પાછો પણ નહીં આવે, જ્યારે ખરાબ સમય એના સ્વભાવ પ્રમાણે થોડો હઠીલો હોવાથી એતો આપણી જીંદગીમાંથી જવાનું નામ પણ નહીં લે, ને ઉપરથી એ વધારે ખરાબ થતો જશે. - Shailesh Joshi
હાલનાં સમયમાં મનથી સુખી માણસ કેમ ઓછા જોવા મળે છે ? કેમકે અહીં પ્રત્યેક બીજા માણસને કોઈનેકોઈ પ્રકારે ત્રીજો માણસ નડે છે. ( આમાં અપવાદ હોઈ શકે ) ઉપાય - ત્રીજાને ભૂલી પહેલા પર ધ્યાન કેન્દ્રિત કરીએ - Shailesh Joshi
આપણું નસીબ આપણા કર્મો થકી બંધાતું હોય છે, ને કર્મો હંમેશા આપણા વિચારોને આધિન હોય છે. પરંતુ પરંતુ પરંતુ "આ બધું માને એના માટે" - Shailesh Joshi
જો આપણે આપણી જિંદગીને સારામાં સારી રીતે માણવા માંગતા હોઈએ, તો આ એક વાત હંમેશને માટે યાદ રાખવી કે, કોઈપણ વ્યક્તિના જીવનમાં, સારું કે ખરાબ કંઈપણ, કારણ વગર નથી થતું, અને અને અને, એનું કારણ પણ આપણે પોતે જ હોઈએ છીએ, બીજું કોઈ નહીં. - Shailesh Joshi
ના તારો કે પછી ના એનો કોઈ વાંક છે, કેમકે અમુકવાર સમય અને સંજોગો એકબીજાની લાગણી તપાસતા હોય છે, ને ઘણીવાર તો, સંબંધો જાતે, એની મજબૂતાઈ ચકાસતા હોય છે. - Shailesh Joshi
હું શું કરું છું ? એનું પુરતું "ધ્યાન" અથવા તો... મારે શું કરવું જોઈએ ? એનું પુરતું "જ્ઞાન" જો "હું પોતે નહીં રાખું" તો પછી સમય મને સાથ કેવી રીતે આપે ? - Shailesh Joshi
પ્રગતિના બે રસ્તા એક આવડત, ને બીજો ચાલાકી, પરંતુ પરંતુ પરંતુ ચાલાકીની ચકાચૌધ ફક્ત ચાર દિવસ જ રહેતી હોય છે, જ્યારે આવડતનો આનંદ..... એતો આખી જિંદગી રહે છે. - Shailesh Joshi
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser