Quotes by Shailesh Joshi in Bitesapp read free

Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified

@shaileshjoshi0106gma
(1.8k)

અમારાથી બનતો પ્રયાસ

અમુક લોકોનાં જીવનમાં
પરમ અને સ્થાયી શાંતિ હોવાનું કારણ
એકજ હોય છે કે,
એ લોકોએ પોતાનાં જીવનમાં
ક્યારેય પોતાનાં નીજી ફાયદા માટે,
કે પછી
ખોટી રીતે પોતાનાં બચાવ માટે
વાણીનો ઉપયોગ નથી કર્યો હોતો.

Read More

જ્યારે વિચારો એક થવા લાગે,
ધ્યેય એક થવા લાગે, અને
સપના પણ એક થવા લાગે
ત્યારે સમજી લેવું કે,
તમારા બંને માટે સ્વયંમ પ્રભુએ તમારા
"પ્રેમનો દરવાજો ખોલી દીધો છે"

- Shailesh Joshi

Read More

ઘણીવાર મોટી મોટી આફતોને
આપણાં સુધી પહોંચવા માટેનો માર્ગ બનાવવાનું કામ, મોટે ભાગે,
એવી ઝીણી ઝીણી બાબતો કરતી હોય છે, કે જેને આપણે
નજર અંદાજ કરીએ છીએ.
- Shailesh Joshi

Read More

ખાલી માતૃભાષામા વાર્તાલાપ કરવાથી
આપણી ભાષાનું એટલું માન નથી જળવાઈ જતું,
કે જ્યાં સુધી આપણે એ વાતનું પૂરતું ધ્યાન ના રાખીએ કે,
હું જે બોલી રહ્યો છું, એ શબ્દોનો ઉપયોગ,
હું કોઈને નીચા દેખાડવામાં, કોઈને છેતરવામાં, કે પછી
કોઈને કોઈથી દૂર કરવામાં તો નથી કરી રહ્યો ને ?
આપણા મોઢેથી બોલાયેલ શબ્દો, અને આપણી ભાષા બંનેનું ગૌરવ જળવાઈ રહે એ આપણું પહેલું કર્તવ્ય હોવું અનિવાર્ય છે.
- Shailesh Joshi

Read More

પ્રેમ પરિપક્વ થઈ રહ્યો છે,
એની જાણ ક્યારે થાય ?
જ્યારે
"એકબીજાને મળવાની ઈચ્છા કરતાં"
"એકબીજા માટે
કંઈ કરવાની ઈચ્છા વધતી જાય"
ત્યારે
- Shailesh Joshi

Read More

दुःख दूर करने की गारंटी के जरिए, एक ज्ञानी पुरुष ने लोगों की परीक्षा लेनी चाही, वह जहां रहते थे वहां बाहर की ओर उन्होंने एक बोर्ड लगाया, और उस बोर्ड में अपना दुःख लेकर आने वालों के लिए दो नियम बनाए थे, वह लिख दिए, इस बोर्ड में इन्होंने पहला नियम लिखा कि, बेईमान लोगों के दुःख दूर करने का, किसी के भी पास कोई रास्ता नहीं होता, और दूसरा नियम ये लिक्खा की, जो ईमानदार है, इन्हें यहां आने की कोई ज़रूरत नहीं, क्योंकि इश्वर के घर देर है, अंधेर नहीं, और अभी आपको जो दुःख लग रहा है, या तो आपके कर्मों का फल है, या फिर एसा भी हो सकता है कि, इश्वर आपकी परीक्षा ले रहे हों, इसलिए पूर्ण रूप से परम कृपालु परमात्मा पर अपना भरोसा बनाए रक्खे.
सही में अपना दुःख लेकर आजतक इनके पास कोई नहीं आया. - Shailesh Joshi
- Shailesh Joshi

Read More

આ સંસાર એક સાગર છે, અને એમાં જો આપણે
આપણા જીવનની પ્રત્યેક ક્ષણે આપણી દિશા
ધ્યાનમાં રાખીને પ્રમાણિકતા સાથે આગળ
વધશું, તો આપણાં સંકટ સમયે પ્રભુ
આપણા માટે કોઈને કોઈ રૂપે લાઈફ જેકેટ
આપણા સુધી પહોંચાડશે, ને જે દિવસે
આપણે આપણી પ્રામાણિકતા છોડી,
એ દિવસે સૌથી પહેલાં તો આપણને
સાચી દિશા તરફ લઈ જતું હોકાયંત્ર કામ
કરતું બંધ થઈ જશે, ને ત્યારે આપણી ગતિ તો
આપણને યથાવત્ જ લાગશે,
પરંતુ સમય જતાં,
એ ગતિ આપણા માટે દિશા વિહીન સાબિત થશે.
- Shailesh Joshi

Read More

વ્યવસાય સંબંધિત
કોઈપણ પ્રકારનાં કામમાં
નિષ્ફળતા મળવી "સંભવિત" છે,
અને નિષ્ફળતાના ડરે
કામ શરૂ જ નહીં કરવામાં તો,
નિષ્ફળતા "નિશ્ચિત" જ હોય છે.
- Shailesh Joshi

Read More

એજ સંબંધોમાં ઠોકર મળે
કે જ્યાં,
એકને માટે બીજો જરૂરી હોય,
ને બીજા માટે જરૂરીયાત
- Shailesh Joshi