The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
શું તું હક જતાવીશ....? "તું મારું ધ્યાન તો રાખે છે, પણ તું એને હક થી જતાવીશ ? તું મારું ધ્યાન તો રાખે છે, પણ મારી સુરક્ષા માટે, અહીંયા ત્યાં જેમ તેમ ફરીશ નહિ, શું તું એવો હક થી જતાવીશ ? તું મારું ધ્યાન તો રાખે છે, પણ મારું ચરિત્ર નું માન જળવાય રહે, એ માટે ગમે તેવા છોકરા ને ના મળીશ, શું તું એવો હક જતાવીશ ? તું મારું ધ્યાન તો રાખે છે, પણ મારા અમુક ખોટા નિર્ણયો પર તું તારી સત્ય ની મોહર લગાવીશં, શું તું એવો હક જતાવીશ ? તું મારું ધ્યાન તો રાખે છે, પણ નાની નાની વાતો પર તારી સમજદારી ને બાજુ માં કરી ને ફક્ત, શું તું હક જતાવીશ ? તું મારું ધ્યાન તો રાખે છે, પણ તું મને રાણી ની જેમ નહિ પરંતુ તારા હ્ર્દય ની સામ્રાજ્ઞી બનાવી ને રાખીશ, શું તું એવો હક જતાવીશ ?
તે થોડોક તો વિચાર કર્યો હોત..... તને એક વાર જોવા ખરા તડકે ઉઘાડા પગે દોડ્યો હતો, તડકા માં બળેલા એ મારા પગ નો તો વિચાર કર્યો હોત, ઘણીવાર સવાર સવાર માં એકસાથે ચા પીધેલી છે, એકવાર એ ચા ના કપ નો તો વિચાર કર્યો હોત, વરસાદ માં આપણે એક છત્રી માં ઘણા મંજલ કાપ્યા છે, આપડા ઉપર રહેલી એ છત્રી નો તો વિચાર કર્યો હોત, તારું એંઠું મે ખાધેલું છે, તારું...... એંઠું મેં ખાધેલું છે, એ એંઠા કોળિયા નો તો વિચાર કર્યો હોત, તારા પર આવેલી દરેક મુશ્કેલી માં હું તારા સાથે રહ્યો છું, તને આપેલ એ સાથ નો તો વિચાર કર્યો હોત, માન્યું કે આખી જિંદગી મે તને મારા મન ની વાત ના કહી, પણ મારા રહેલા મૌન નો તો વિચાર કર્યો હોત, જિંદગી માં આપણે એક બીજા સાથે જીવન ની ગણી વાતો કરી છે, તારા લગ્ન ની વાત કહેતા પેહલા મારા પ્રેમ નો તો વિચાર કર્યો હોત, તું આવી રીતે કોઈ બીજા સાથે પરણી ગઈ, મારી લાગણીઓ નો તો વિચાર કર્યો હોત, તારા ગયા પછી મારું હૃદય બાવળ બની ગયું છે, એકવાર મારા હૃદય ના બગીચા નો તો વિચાર કર્યો હોત, કાશ તે થોડોક તો વિચાર કર્યો હોત....
" તું ચિંતા ના કર, હું છું તારી સાથે " આ વાક્ય સાંભળવા ઘણા લોકો આખી જિંદગી તરસ્યા છે.
મારા મન નો પ્રશ્ર્ન " સ્વર્ગ ની અપ્સરા કેવી હોય.. ? " તારા કાન નાં ઝુમખા, માથા ની બિન્દી, હરણી જેવી આંખ, નાક ની નથનિ, ને હોઠ પર ની લાલી જોઈ મને ઉત્તર મળી ગયો.....
" यदि भगवद्गीता के आखिरी पन्ने पर श्री कृष्ण के बजाय अल्बर्ट आइंस्टीन का नाम होता, तो सबसे महंगी किताब बिकती "
જ્યારે જ્યારે ગુસ્સામાં તારો ચહેરો લાલ થાય છે, ત્યારે મને મન માં એક જ મલાલ થાય છે, " કે કાશ એ રાતા ચહેરા ને મેં મારી આંખો થી નિહાળ્યો હોત "
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser