#Monkeyબાત
સમુદ્ર મંથન વખતે કઢી અને સંભારો પણ નીકળ્યા હતા - લાલચોળ સંભારો દાનવો ઝુંટવીને લઇ ગયા અને મધુરી કઢી દેવોના ભાગે આવી.
દેવોને અમૃત મળતા દાનવો પણ અમૃતની શોધમાં નીકળ્યા
#હળવાશથી_લેવું #ગાંઠિયાપટ્ટી
હકીકતમાં તો સમુદ્રમંથન વખતે ચા અને ગાંઠિયા નિકળા હતા
ગાંઠિયા દાનવોને મળ્યા પણ હાથીદાંત ધરાવનાર દાનવોને ઢીલા લાગ્યા એટલે નળિયા જેવા બનાવીને આરોગે છે
જ્યારે ચા દેવોને મળી એટલે બિચારા દાનવો ચા જેવુ પાણીથી ભરપૂર પ્રવાહી 4 ચમચી જેટલું 15 રૂપિયામાં વેંચીને સમૃધ્ધ બની રહ્યા છે.
સાચી વાત તો એ છે કે રાહુ અને કેતુ કઢી અને નળિયાના સેવન બાદ જ સુમધુર વણેલા ગાંઠિયા, સંભારો, ચટણી, મરચા માટે દેવો ભેગા બેઠા હતા ને પકડાઈ ગયા.
નારદમુનિએ પીળુ પ્રવાહી દૂરથી બતાવી કહ્યું કે કદાચ આ અમૃત જેવુ છે, ત્યારથી 'કઢી'ને અમૃત સમજી જાપટી રહ્યા છે
પછી નળિયા નીકળ્યા તે એને રાખવાની તો મહાદેવે ય ના પાડી . તેઓ કહે વિષ તો બરોબર છે બાકી આને આય થી લઇ જાવ....,
(શ્રી. બધિર અમદાવાદી ની પોસ્ટ સાભાર.
એમની હ્યુમરસ પોસ્ટ સરસ હોય છે.)
શ્રી. બધિર અમદાવાદી ની ફેસબુક પોસ્ટ સાભાર.