ધર્મ એટલે અંતરની શાંતિ,
ધર્મ એટલે દુઃખમાંથી બચવાનો ઉપાય,
ધર્મ એટલે જીવનનું ચાલક બળ,
ધર્મ એટલે આત્માની ઉન્નતિનો માર્ગ,
ધર્મ એટલે પ્રેમ અને જ્ઞાનને જોડનારી કડી,
ધર્મ એટલે મનુષ્યમાં દેવત્વ લાવનારું તત્ત્વ,
ધર્મ એટલે માણસોની કસોટી કરવાનું સાધન,
ધર્મ એટલે મનુષ્યને ઉન્નતિના માર્ગમાં ઊડવાની પાંખો અને
ધર્મ એટલે કુદરતની બાજુમાં રહીને કામ કરવું તે,
એટલું જ નહીં પણ જીવ ઈશ્વરની નજીક જઈ શકે એવા માર્ગને ધર્મ કહે છે.