ભાર તો જિંદગી નો સૌ લઈ ને ચાલે છે....
કોઈ હસી ને તો કોઈ રડી ને તો વળી કોઈ અકડાઈ ને જિંદગી વિતાવે છે....
જિંદગી તો બધા ને જીવવા ની જ છે...
જ્યાં સુધી શ્વાસ ના ખૂટે...
જ્યાં સુધી દોર ના તૂટે...
તો પછી, અકળાવું કેમ?ગભરાવું કેમ?
દુઃખી થઈ ને પસ્તાવું કેમ?
રોજ ઊગે નવી સવાર,પાથરે નવી ઉજાસ,..
અને આપડે જ કેમ રહીએ જૂના?
ના જીવાયેલી ક્ષણો નો અફસોસ કરતા...
ના મળેલી વસ્તુ ચાહત કરતા..
પણ,મળેલી વસ્તુઓ અને જીવાયેલ ક્ષણો નો વાંક શું?
જિંદગી એકાંત માં જરૂર પુછે છે એક સવાલ,
વર્ષા તો ઘણી થઈ,તો પણ રહી ગયા કોરા..
એમાં વર્ષા નો વાંક શું?
Tru