એક માણસ પક્ષી ને ચણ નાખી રહ્યો હતો અને બીજો પક્ષીઓ તરફ પથ્થર ફેંકી રહ્યો હતો.
પણ જે ચણ નાખી રહ્યો હતો તેની દાનત ખરાબ હતી અને તે એક પારાધી હતો તે પક્ષીઓને પોતાની જાળમાં ફસાવવા પક્ષીઓને ચણ નાખી રહ્યો હતો.
અને બીજાની દાનત સાચી હતી એટલે પક્ષીઓને બચાવવા જાળની બાજુમાં પથ્થરો ફેંકી રહ્યો હતો જેથી પક્ષીઓ જાળમાં ફસાય નહીં...
એટલે ક્યારેક કંઇક દેખાય તે સત્ય માની લેવું નહીં ... પણ ક્યાં સંજોગ હતા તે જાણ્યા વગર વાત ને આગળ વધારવી નહિ. ઈશ્વર પણ માત્ર કર્મ જોતો નથી, કર્મ પાછળનો હેતુ ખાસ જુવે છે...