“દેશ જે વ્યક્તિનો ઈંતજાર કરે છે તે વ્યક્તિને હુ મારી સાથે લાવવાનો છુ” આ શબ્દો લાલબહાદુર શાસ્ત્રીના છે . તાંસકંદમા જ્યારે ૧૯૬૫ના ભારત પાકના યુદ્ધમાં પાકને ધૂળ ચાટતું કરી દીધું હતું . અરે લાહોરના સિમાડે ભારતની ફોજ પહોંચી ગઈ હતી અને રસિયા અને અમેરિકાના કહેવાથી યુદ્ધ વિરામ કરવામાં આવ્યું હતું .
સિતેર વરસની રાજનીતિમાં બળવાન અને નિડર રાજપુરુષ (મારા માટે તો રાષ્ટ્રપુરુષ) જોયો હોય તો તે શાસ્ત્રીજીના રૂપમાં હતા . ભારત ચીનની થપાટ ખાઈ માંડ માંડ ઉભો થતો હતો . અને નહેરુંના ગયા પછી શાસ્ત્રીજીને વડાપ્રધાન પદ સોંપવામા આવ્યું . ત્યારે જ ભારતમાં ખરેખર લોકશાહીની શરૂઆત થઈ હતી .
પોતાના પદનો ક્યારેય પોતાના અંગત જીવનમાં કે પોતાના સગા વહાલા લોકો માટે ઉપયોગ નથી કર્યો . દેશમા ઘઉંની ભારે અછત હતી . ત્યારે અમેરિકાથી લાલ રંગના ઘઉંની આયાત કરવી પડતી . પણ જ્યારે શાસ્ત્રીજીએ જોયું કે આ ઘઉં પશુઓને ખાવા માટેના છે ત્યારે તેમને અમેરિકાને પણ કહી દીધું “ભારત ભુખ્યો મરી જશે પણ આ ઘઉં નહી ખાય”
એ કટોકટીમાં શાસ્ત્રીજીએ સાત દિવસમાં એક દિવસનો ઉપવાસ કરવાની જાહેરાત કરી . એ જાહેરાતને પુરી દેશે પોતાના માથા પર ચઢાવી લીધી . આ ઉપવાસને પ્રયોગ શાસ્ત્રીજીએ પોતાના જ ઘરના સભ્યો પાસે કરાવ્યો જ્યારે તે પ્રયોગ સફળ થયો ત્યારે આ આહ્વાન કર્યું .
આર્થિક કટોકટી પણ એવી જ હતી . પાકને જવાબ આપવા માટે હથિયાર જોતા હતા અને એ હથિયાર પૈસા વગર આવે એવું હતું નહી . દેશમા રૂપિયા બચાવો અભિયાન ચાલુ કર્યું . પોત પણ સંસદમાં બસમાં જતા હતા .
આવાતી ઘણી વાતો છે આ રાષ્ટ્રપુરુષની . પણ આજે ખરેખર આવા નેતા ખરા જે પહેલા કાયદા કે વ્યવસ્થાનું પાલન કરે અને પછી દેશમા એ કાયદો કે વ્યવસ્થાનું આહ્વાન કરે . એ યુગ હતો દેશપ્રેમનો અને આજે યુગ છે ઘર ભરવાનો .....
શાસ્ત્રીજીની પુણ્યતિથિ પર તેમના પવિત્ર અને દેશપ્રેમી આત્માને ખુબ ખુબ વંદન ........
મનોજ સંતોકી માનસ