…તો એટલા માટે પાંથીમાં પુરવામાં આવે છે સિંદુર, રાઝ જાણીને થઇ જશો હેરાન
પાંથીમાં સિંદુર લગાવવું સુહાગન સ્ત્રીઓનું પ્રતીક માનવામાં આવે છે. સિંદુર જેટલું મંગલદાયમ માનવામાં આવે છે એટલું જ તેનાથી રૂપ-સૌંદર્યમાં પણ નિખાર આવી જાય છે. પાંથીમાં સિંદુર લગાવવું એક વૈવાહિક સંસ્કાર પણ છે.
શરીર રચના વિજ્ઞાન અનુસાર સૌભાગ્યવતી સ્ત્રીઓ પાંથીમાં જે સ્થાન પર સિંદુર લગાવે છે તે સ્થાન બ્રહ્મરંધ અને અહિમ નામના મર્મસ્થળ પર બરાબર ઉપર છે. સ્ત્રીઓમાં આ મર્મસ્થળ અત્યંત કોમળ હોય છે.
તેની સુરક્ષાના કારણે સ્ત્રીઓ અંહી સિંદુર લગાવે છે. સિંદુરમાં કેટલીક ધાતું વધારે પ્રમાણમાં હોય છે. આ કારણથી ચહેરા પર જલદી કરચલી પડતી નથી અને સ્ત્રીઓના શરીરમાં વિદ્યુતીય ઉત્તેજના નિયંત્રિક થાય છે.