બાણશંકરી મંદિર, બેંગલોર. ગઇકાલે બેંગલોર મ્યુનિ દ્વારા નવી શરૂ થયેલ દિવ્યદર્શન ટૂરમાં સવારથી સાંજ જઈ આવ્યો. તેમાં અંતિમ પડાવ આ મંદિર. અત્યંત ભીડભાડ વાળી જગ્યાએ. મંદિરમાં પણ માણસો માય નહીં એટલી ભીડ.
અહીં માતાજી સામે દીવડા પ્રગટાવેલી થાળી ફેરવવાનું ખૂબ મહત્વ છે. કેમ એ ખબર નથી. પાછળ તરફ લંગર કે પ્રસાદ જેવું પણ હતું. હમણાં જ જાણ્યું કે એ દિવડાઓ લીંબુના અડધીયા ની છાલમાં પ્રગટાવેલા હતા અને હોય છે! અમુક મુશ્કેલીઓના નિવારણ માટે પ્રાર્થના કરવા કે કુંડળીમાં રાહુકાળ હોય એ દરમ્યાન રાહત માટે આ રીતે લીંબુની ફાડમાંથી ગર્ભ કાઢી એમાં તેલના દિવસ પ્રગટાવી અહીં માતાજી સમક્ષ આરતી થાય છે.
ટુરની બીજી જગ્યાઓ પણ સરસ હતી.
અત્યાર પૂરતા એ અંતિમ પડાવ બાણશંકરી મંદિરના જુઓ.
બેંગલોર આવતા ધર્મપ્રેમી કે વયસ્ક લોકો આ BMTC ની દિવ્યદર્શન ટૂર ના લાભ અચુક લે.