પુસ્તક: વારસદાર
લેખક: અંકિતા મુલાણી
સાચું કહું તો આ પુસ્તક વિશે મારે શું કહેવું એ હું પોતે નથી જાણતી પણ એક નાનો પ્રયત્ન જરૂર કરીશ થોડી માહિતી આપવાનો.
આ પુસ્તક એક સત્યઘટના પર લખાયેલ છે એટલે તમે આપોઆપ આ પુસ્તક સાથે જોડાઈ જશો એની હું ખાતરી આપું છું. આ પુસ્તકમાં આપણા સંસ્કાર અને સંસ્કૃતિ બંને સમાન રીતે વર્ણવાયેલા છે અને સાથે સાથે આપણો જાજરમાન વારસો પણ.
સ્ત્રીની ઘર સાચવવાની કળા, સંતાન માટે માતા-પિતાએ આપેલા સંસ્કારનું સન્માન, સમર્પણની ભાવના અને અતિથિને દેવ માની એની સેવા કરવાનો નિશ્ચય. આ પુસ્તક વાંચી સાચે પોતાની સંસ્કૃતિ માટે ગર્વ થઈ આવે.
એમ તો આ પુસ્તક માટે હું લખું એટલું ઓછું છે પણ જો હું બધું અહીં જ કહી દઈશ તો પછી આ પુસ્તક વાંચવાની મજા શું આવશે?
- કિંજલ પટેલ "કિરા"