Gujarati Quote in Thought by Juli Solanki

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લગ્નપ્રસંગે લોકો ધૂમધામથી તૈયારી કરતાં હોય છે. પરંતુ આ બધામાં કોઈએ એ જોયું કે આમાં એવી વ્યક્તિ પણ હોય છે જેના કોઈપણ કારણોસર ડિવોર્સ થયા હોય કે સગાઈ તૂટી હોય ?? હા , જોયાં જ હશે...! પણ કેવી નજરથી ??? સમાજમાં આવા પાત્રોને અશુભ હોય તેવી નજરથી જોતા હોય . શુભ પ્રસંગમાં જ્યારે કોઈ વિધિ કરવામાં આવે ત્યારે આવી વ્યક્તિને તેનાથી દૂર રાખવામાં આવે. શા માટે?? વિધિ જોઈએ તો એક ભગવાનની પૂજા જ છે ને...!! તો તેનાથી દૂર કરવામાં શું અશુભ થાય..??સમાજના લોકો તો ઠીક પોતાના પરિવારવાળા પણ આવું વર્તન કરે. બધા એમ માને છે કે જો આવી વ્યક્તિ શુભ કાર્યમાં સામેલ થાય તો બધું ઊંધું વળી જાય.તમે ક્યારેય એવું વિચાર્યું છે કે તમારા આવા વર્તનથી પેલી/પેલાને કેટલું દુઃખ થતું હશે???આ અનુભવ ખૂબ જ દુઃખદાયક છે.
આ લખવામાં પણ મારી આંગળીઓ નથી ચાલતી.. આટલું દુઃખ જેના પર વીત્યું હશે તેને કેવું થતું હશે ?? જાણે કોઈએ આપણા શરીરમાંથી હૃદય જ કાઢી નાખ્યું હોય તેવું થાય...આ પીડા જિંદગીમાં કોઈને ક્યારેય પણ ન આવે ..." અનુભવની એરણ પર વીતેલા આ પ્રસંગો મારા હૃદયને તલવારની જેમ ચીરી જાય છે..."

-Juli Solanki

Gujarati Thought by Juli Solanki : 111697927
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now