કોરોના...આખી દુનિયામાં મોતનો ડંખ મારતો એક જીવતો જાગતો વાઇરસ જેને આપણે કોરોના વાઇરસના નામથી ઓળખીએ છીએ આજ કોરોના વાયરસથી આખી દુનિયામાં લાખો લોકો તેનો શિકાર થઇને કાંતો મરણ પામ્યા છે કાંતો હોસ્પીટલના ખાટલે જીવન મરણ વચ્ચે કંઇક આશાઓ સાથે પોતાના દિવસો વિતાવી રહ્યા છે ઘણા સાજા થઈ ને હસતા હસતા પોતાના ઘરે પણ જઇ રહ્યાછે તો ઘણા સાજા થઈ ને ફરી પાછા કોરોના વાયરસની લપેટમાં આવવાથી મરણ શરણ પણ થઇ ગયા છે આમતો કોરોના મટી ગયા પછી પણ તેના વાયરસ લગભગ નેવું દિવસ આપણા શરીરમાં જીવીત રહી શકેછે ત્યાર બાદ તમે લીધેલ દવાની અસરથી તે ધીમે ધીમે વાયરસના જીવાણુઓનો નાશ પામેછે..આ કરી આપણે થોડીક કોરોના અંગેની કંઇક વિશેષ વાતો તો આપણે જરા એક બીજી જ વાત ઉપર હવે આવીએ
હમણાં કોરોનાને લીધે આખા દેશમાં ઘણા લોકડાઉન થયા તેમાં ઘણા લોકોની જીંદગીમાં ઘણી જ ઉથલ પાથલ થવા પામી..જેમકે ઘણા લોકોની ચાલુ નોકરીઓ ગઇ તો ઘણા લોકોના ધંધા પણ ઠપ થઈ ગયા તો ઘણા લોકોએ ઘરમાં ખાવાના પૈસા ના હોવાને કારણે પોતાની જીંદગીનો અંત પણ લાવી દીધો તો જયારે આવી ઘટનાઓ ઘટે ત્યારે તે બહુજ દુ:ખદ કહી શકાય
હવે તેમાં આપણા દેશની સરકાર કે આપણે ખુદ શુ કરી શકીએ! સમજો કે એક કુદરતનો આવો પ્રકોપ આપણી ઉપર હશે જે આવવાનો હતો તે આવીને રહ્યો...
ભારતના એક રાજ્યમાં એક કાકા ને સાથે તેમની પત્નિ પોતાનો એક નાનો ઢાબો ચલાવતા હતા એટલે કે એક નાની લારી ઉપર બપોરના સમયે પોતે પુરી શાક તેમજ દાળ ભાત જેવુ કંઇક વેચતા હતા લોકડાઉન થયા પહેલા તેમનો આ ઢાબો ઘણો ધુમ ચાલતો હતો પણ જયારે દેશમાં કોરોના આવ્યો ત્યાર બાદ તેના થકી જે એક પછી એક લોકડાઉન થયા તેમાં ઘણા જ નાના મોટા ધંધા બંધ થઇ ગયા તેવી રીતે આ કાકાનો ઢાબો પણ અમુક મહીના બંધ થઇ ગયો હતો પણ જયારે આ લોકડાઉન પછી સરકારે થોડીક છુટછાટ સાથે લોકડાઉન ને અનલોક કર્યુ તેમાં ઘણા જ ધંધા ફરી પાછા ધમધમતા થયા તો આ કાકાએ પણ પોતાનો બંધ થયેલો ધંધો ફરી પહેલાની જેમ રાબેતા મુજબ ચાલુ કર્યો પણ તેમના ઢાબા ઉપર કોઇ જ જમવા આવતુ ના હતું રોજ જમવાનુ બનાવે છેવટે તેને ફેંકવાનું થતુ હતુ તો એક દિવસ આ કાકા ખરેખર પોતાની હિંમત હારી ગયા ને કોઇની સામે રડવા લાગ્યા તો એક ભાઇએ આ કાકાનો રડતા રડતા વિડીયો ઉતારી દીધો ને તેને તે વિડીયો ફેસબુક તેમજ અન્ય મિડીયામાં વાયરલ પણ કરી દીધો આથી જે જે લોકોએ આ કાકાનો રડતો વિડીયો જોયો હતો તેમને કાકાને મદદ કરવા માટે તેઓ આગળ આવ્યા ને તમે નહી માણો પણ થોડાક જ સમયમાં કાકા પાસે બે લાખ જેટલા રુપીયા ભેગા પણ થઇ ગયા છેવટે કાકાએ લોકોને પોતાને વધુ પૈસા ના આપવાની વાત કરી ને કહ્યુ કે હવે મારે આનાથી વધુ પૈસા જોઇતા નથી માટે તમે હવે મને વધુ પૈસા ના મોકલો ને જો તમારે મદદ જ કરવી હોય તો બીજા કોઇ ગરીબને આપો પણ મારે હવે વધુ પૈસા જોઇતા નથી આ માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર ને ભગવાન તમારુ ખુબ ભલુ કરશે.
આની ઉપરથી તમે જરા સમજી જશો કે આજ પણ આપણા દેશમાં માનવતાછે જ તે મરી પરવારી નથી આવા દુ:ખદ સમયમાં પણ સૈ લોકો હંમેશા આગળ આવતા જ હોયછે.