પવિત્ર શ્રાવણ માસ એટલે મોક્ષનાં દેવ મહાદેવ અને
જેનાં સ્વરૂપનો મોહ થઈ જવા પામે એવા
મારા મધુસૂદન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ.
શ્રાવણ એટલે તો તાંડવનાં તાનમાં અને મોહનના મોહમાં મસ્ત થવું.
મારે મન શ્રાવણનાં સરવરિયા એટલે
લાલાના જન્મોત્સવની આરતીનાં
પ્રસાદમાં અપાતું પંચામૃત અને
વરસાદનાં વિરામથી ઊડતી ધૂળ એ પંજીરી.
આવા દિવસોમાં પણ જો કોઈ
કૃષ્ણમય અને રુદ્રમય ન થઈ શકતું હોય તો,
ભર વરસાદે એના જેટલી શુષ્કતા
સૃષ્ટિમાં જડવી મુશ્કેલ...!
- પંકિલ દેસાઈ