બંધી શંકાનો સફાયો થશે, શુક્રવારે બોલો સંકટમોચક દેવીમંત્ર
દુર્ગાસ્પ્તશતીનો આ શક્તિશાળી દેવી મંત્ર જીવનમાં અઈચ્છિત પરિણામો અને અચાનક બગડેલ પરિસ્થિતિથી પેદા થતા ભયને દૂર કરે
તણાવ ભરેલી અને અશાંતિ માનસિક સ્થિતિ પારિવારિક અને કાર્યક્ષેત્ર સાથે જોડાયેલ જવાબદારીઓને પૂરા કરવામાં બાધા બને છે. એવા અજાણ ભય અને પરિસ્થિતિઓમાંથી બહાર આવવા માટે વ્યગ્રતામાં ખોટા પગલા ભરવાને બદલે ખામીઓ ઉપર ધ્યાન આપવામાં આવે અને નવી રીતે પ્રયાસો કરવા જરૂરી છે.
ધાર્મિક દ્રષ્ટિએ તન, મન અને ધનની ખોટ કે દોષથી પેદા થતા દરેક ભય, સંકટથી મુક્તિના પ્રયાસોમાં દેવી આરાઓધના ખૂબ જ અસરકારક માનવામાં આવી છે. જેની માટે શુક્રવાર કે દેવી ઉપાસનાના અવસરો ઉપર દુર્ગાસપ્તશતિના મંત્ર વિશેષનું સ્મરણનું મહત્વ છે.
દુર્ગાસપ્તશતીના નીચે બતાવેલ શક્તિશાળી મંત્રના ધ્યાનથી અનિશ્ચિતતા અને ડરનો માહોલ ખતમ થઈ જાય છે. સાથે જ પરિસ્થિતિઓ સુખદ અને અનુકૂળ બની સફળતા અને સમૃદ્ધિ પ્રદાન કરે છે.
-શુક્રવાર કે દેવી ઉપાસનાની ઘડીમાં સ્નાન કર્યા પછી મંદિરમાં દેવી ઉપાસનાની મૂર્તિ કે ઘરમાં દેવીના ફોટાને લાલ વસ્ત્ર ઉપર ચોકી બનાવી વિરાજિત કરો, લાલ અક્ષતથી બનેલ અષ્ટદળ કમળ ઉપર વિરાજિત કરી લાલ પૂજા સામ્ગરીઓ અરિપત કરી પૂજા કરો.
-દેવીની સામાન્ય પૂજા લાલ કંકુ, અક્ષત, ફૂલ, લાલ ચંદડી, દક્ષિણા અર્પિત કરીને કરો. ભોગમાં ખીર કે માવાથી બનેલ મિઠાઈનો ભોગ લગાવો. ધૂપ અને દીપ પ્રગટાવી લાલ આસન ઉપર બેની નીચે આપેલ મંત્રનો જાપ ઓછામાં ઓછા 11 વાર સુખદ સમય અને પરિણામોની કામનાથી બોલો...
सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते।
भयेभ्यस्त्राहि ने देवि दुर्गे देवि नमोस्तुते।।
एतते वदनं सौम्य लोचनत्रयभूषितम्।
पातु न: सर्वभीतिभ्य: कात्यायनि नमोस्तुते।
लाकरामत्युग्रम शेषा सुरसुदनम्।
त्रिशूलं पातु नो भीतेर्भद्रकालि नमोस्तु ते।।
-પૂજા અને મંત્ર સ્મરણ પછી દેવીની આરતી કરી, દીપ, જ્યોતિ અને શરીરના વિભિન્ન અંગો અને ઘરમાં ફેરવો, ક્ષમા પ્રાર્થના પછી પૂજા સ્થાન ઉપર બેસી પ્રસાદ ગ્રહણ કરો.