Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગોળનો એક લાડું બદલશે તમારી કિસ્મત, લગ્ન જીવનની સમસ્યાઓ પળવારમાં થશે દૂર

જ્યોતિષશાસ્ત્રમાં જે ઉપાયો અને ટોટકાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે તેનાથી જીવનમાં આવનારા સંકટથી બચી શકાય છે. આ ઉપાયોનો કોઈ વૈજ્ઞાનિક આધાર તો નથી હોતો પણ પ્રાચીનકાળથી લોકો તેને અનુસરે છે. આવા ઉપાયમાં જે વસ્તુઓનો ઉપયોગ થાય છે તે મોટાભાગે દરેક ઘરના રસોડામાંથી જ મળી જાય તેવી હોય છે. આવી જ એક વસ્તુ છે ગોળ. ગોળ સ્વાસ્થ્ય માટે તો ગુણકારી છે જ પરંતુ તે આવા ટોટકાઓમાં પણ ઉપયોગી છે. તો જાણી લો ગોળના અલગ અલગ ઉપયોગો વિશે.
ઘરના ઘર માટે
જો તમે પોતાનું ઘર ખરીદવા માંગતા હોય તો દર રવિવારે ગાયને ગોળ ખવડાવવો અને શનિવારે શનિ મંદિરમાં છાયા દાન કરવું.
કરજમાંથી મુક્તિ મેળવવા માટે
ભોજનમાં રોજ ગોળનું સેવન કરવું તેમજ હનુમાનજીને ગોળ-ચણા ધરવા અને ઋણમોચક મંગલસ્ત્રોતનો પાઠ કરવો, તુરંત લાભ થશે.
નોકરી માટે
જ્યારે ઈન્ટરવ્યુ માટે જવાનું થાય ત્યારે સાથે ગોળ અને લોટ લઈ જવો અને રસ્તામાં કોઈ ગાયને ખવડાવી દેવો. અવશ્ય સફળતા મળશે.
લગ્ન માટે
જેને લગ્ન ઝડપથી કરવાની ઈચ્છા હોય તેમણે દર ગુરુવારે ગાયને લોટ અને ગોળના બે લાડુ બનાવીને ખવડાવી અને હળદરનો ચાંદલો કરવો.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111462370
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now