જો દામ્પત્ય જીવનમાં છે તકરાર, તો શુક્રવારે કરો આ ખાસ વ્રત
જો તમારૂ લગ્નજીવન ખુબજ નિરાશાજનક હોય તો તમારા પાર્ટનર સાથે સતત લડાઈ, તકરાર કે દલીલો થયા કરતી હોય તો શક્રવારે ખાસ કરશો આ પ્રદોષ વ્રત જેનાથી તમારૂ દામ્પત્યજીવન સુમધુર થશે. આઓ જાણીએ શા માટે રાખવામાં આવે છે શુક્ર પ્રદોષ વ્રત અને શું છે તેનો મહિમા.
શુક્ર પ્રદોષ વ્રતનું મહત્વ
શાસ્ત્રો અનુસાર પ્રદોષ વ્રત ભગવાન શિવની વિશેષ કૃપા મેળવવા માટે થાય છે. જે પ્રદોષ વ્રત શુક્રવારે આવે છે તેને શુક્ર પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. માન્યતા અનુસાર જે વ્યક્તિ શુક્ર પ્રદોષનું વ્રત રાખે છે તેની તમામ મનોકામના પૂરી થાય છે.
શુક્ર પ્રદોષ વ્રતનું શુભ મુર્હૂત
કોઈ પણ પ્રદોષ વ્રતમાં ભગવાન શિવની પૂજા સાંજના સમયે સૂર્યાસ્તથી 45 મિનિટ પહેલા અને સૂર્યાસ્તનાં 45 મિનિટ સુધી કરી શકાય છે. શુક્ર પ્રદોષનું વ્રત કરવાથી દામ્પત્ય જીવનની ખટાશ હંમેશા માટે દૂર થાય છે.
દામ્પત્ય જીવનના કષ્ટ દૂર કરવા આ રીતે કરો શુક્ર પ્રદોષ વ્રત
શુક્ર પ્રદોષના દિવસે સૂર્ય ઉદય પહેલા ઉઠો. સ્નાન પછી સફેદ કે ગુલાબી કપડા પહેરો. આખો દિવસ ભગવાન શિવનો મંત્ર જાપ ॐ नमः शिवाय કરો. બને ત્યાં સુધી ઉપવાસ કરો. સાંજના સમયે પ્રદોષ કાળમાં ભગવાન શિવને પંચામૃતથી સ્નાન કરાવો શુદ્ધ જળનો અભિષેક કરો. આખા અક્ષત, એલચી અને ફળ ભગવાન શિવને અર્પણ કરી ગરીબોને આપો. બાળકોને જમાડો. ધુપ દીપ કરી આરતી કરો. આસન પર બેસીને પંચાક્ષરી સ્ત્રોતનો પાઠ કરો.
શુક્ર પ્રદોષ વ્રતમાં આ નિયમોનું કરો પાલન
ઘરમાં અને મંદિરમાં સ્વચ્છતા જાળવો. સાફ કપડા ધારણ કરો. ભગવાન શિવની બને તેટલી પૂજા કરો. વ્રત કરતી વખતે કોઈનું મન, વચન કે કર્મથી ખરાબ ન કરો. ઘરના વડીલોનું માન જાળવો.
જો વિવાહમાં થાય છે મોડુ તો આ ઉપાય કરો
શુક્ર ધન-ધાન્ય સુખ સમૃદ્ધિ અને ભોગ વિલાસનું કારક હોવાની સાથે સાથે વિવાહ કારક પણ માનવામાં આવે છે. જીવનમાં શુક્રથી જો સમસ્યા આવતી હોય તો ભોલેનાથની પૂજા કરવાથી મુશ્કેલીઓ દૂર થશે. 27 લાલ ગુલાબના ફૂલોને લાલ દોરામાં પરોવીને ઇચ્છા દર્શાવતા ભગવાન શિવ અને શુક્રની પૂજા કરો. આ માળા પ્રદોષ કાળમાં શિવલિંગ પર અર્પિત કરો. ભગવાન શિવજી પર દૂધથી અભિષેક કરો. જે લોકોને શુક્રના કારણે રોગ થયો હોય તેમણે સફેડ ચંદનનો લેપ સાંજના સમયે ભોલેનાથ પર કરવો જોઈએ.