શું તમે જાણો છો પૂજા કે શુભ કાર્ય કરતી વખતે કેમ માથું ઢાંકે છે મહિલાઓ?
હિંદૂ ધર્મમાં પૂજા પાઠ કરવા માટે અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા છે. પૂજાનું ફળ પ્રાપ્ત કરવા આ નિયમોનું પાવન કરવું ખુબજ જરૂરૂ છે. આવો જ એક નિયમ છે પૂજા કરતી વખતે મહિલાઓ માથાને દુપટ્ટો કે સાડીના પલ્લુથી ઢાંકે છે અને પૂજા સમયે માથુ ખુલ્લુ નથી રાખતી.
કહેવાય છે કે કોઈ પણ પૂજા કરતી વખતે ખાસ કરીને મહિલાઓએ માથુ ખુલ્લુ રાખવું જોઈએ નહી. જો તમે પરિણીત છો તો માથા પર દુપટ્ટો જરૂરથી રાખો. ધ્યાનમાં રાખો કે પૂજા કરતી વખતે તમારૂ માથુ ક્યારેય ખુલ્લુ ન રાખો.
આ પરંપરા પાછળ એક માન્યતા રહેલી છે કે જેને તમે શ્રેષ્ઠ અને આદરણીય માનો છો તેમની સામે માથુ ખુલ્લુ રાખવુ જોઈએ નહી. ખરેખર માથાને ઢાંકવાને સમ્માન અને માનનું પ્રતીક માનવામાં આવે છે. આજે પણ ગામડાઓમાં મહિલાઓ ઘરમાં તેમજ બહાર રહેલા વડિલોની આમાન્યા જાળવે છે માથા પર ઓઢી રાખે છે.
પૂજામાં માથુ ઢાંકવાની બીજી માન્યતા એ પણ છે કે તમારી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને પૂજા ધ્યાનથી એકત્રિત સકારાત્મક ઉર્જા શરીરમાં રહે છે. પૂજાના સમયે પુરૂષો દ્વારા શિખા બાંધવાને લઈને પણ એક માન્યતા રહેલી છે.
એવુ કહેવાય છે કે માથાના મધ્યભાગમાં એક ચક્ર હોય છે. આવામાં તમે જ્યારે માથુ ઢાંકીને પૂજા કરો છો તો આ ચક્ર સક્રિય થઈ જાય છે. પૂજાના સમયે માથુ ઢાંકવાથી ધ્યાન કેન્દ્રિત થાય છે.